HomeGujaratDemonetization of Which Note? : લોકોએ કરેલી નોટબંધી -India News Gujarat

Demonetization of Which Note? : લોકોએ કરેલી નોટબંધી -India News Gujarat

Date:

Demonetization of Which Note?

ચલણીનોટ લેવાનો ઇન્કાર -India News Gujarat 

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ 2016ની આઠમી નવેમ્બરે અચાનક (Demonetization) નોટબંધીની જાહેરાત કરીને 500 તથા 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યા હતા.ત્યાર બાદ  રૂપિયા 500 ની અને ગુલાબી કલરની 2 બજારની નોટ માર્કેટમાં આવી હતી.એટલું જ નહી આ પ્રકારે અગાઉ પણ (Demonetization) નોટબંધી લાગુ કરવામાં આવી ચુકી છે.

આ પ્રકારે નિર્ણય RBI ધ્વારા લેવામાં આવતા  હોઈ છે. પણ હાલ એક એવી (Demonetization) નોટબંધી દેશમાં દેખાઈ રહી છે.જેની જાહેરાત નાતો સરકારે કરી છે નાતો RBI એ કરી છે.છતાં પણ આ નોટ ન લઇ લોકોએ જાતેજ કરી નાખી છે (Demonetization) નોટબંધી.500 અને 1000 ની જુનિ નોટો લુપ્ત થયા બાદ હવે રૂપિયા પાંચની નોટ નું અસીત્વ પણ ભુંસાઈ રહ્યું છે. અને આ રૂપિયા 5ની ચલણી નોટ લેવાથી લોકો કરી રહ્યા છે ઇન્કાર.-Latest Gujarati News 

  •  પેટ્રોલપંપ પર ,દુકાનદાર અને ફેરિયાઓનો નોટ સ્વિકારવાનો મનસ્વી ઇનકાર 
  • શાકવાળા, દૂધવાળા તેમજ કરિયાણાવાળા ઘર્ષણ પર ઊતરી આવે છે

RBI દ્વારા વર્ષ 2019માં 100ની નવી નોટ ચલણમાં લાવી દેવામાં આવી છે. (Demonetization) નોટબંધી વખતે 500 અને 1000ની નોટો બંધ થતાં અફરા તફરી મચી ગઈ હતી. તેથી હવે આરબીઆઈ અચાનક કોઈ જૂની નોટ બંધ કરવાની જગ્યાએ પહેલાથી જ નવી નોટ બજારમાં ચલણમાં લાવે છે . નવી નોટ સંપૂર્ણ રીતે ચલણમાં આવ્યા પછી જ જૂની નોટને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે.

જો કે  5 રૂપિયાની નોટ ચલણમાં હોવા છતા બજારમાં કોઈ પકડવા તૈયાર નથી. એકતરફ તંત્ર ચલણ સ્વિકારવાની ના પાડનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવાનો દમ મારી રહ્યા છે પણ આ કોઈ સત્તાવાર જાહેરાત, સુચના કે જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તસ્દી લઈ રહ્યું નથી. જેના કારણે સુવ્યવસ્થિત રૂપિયા 5ની નોટને લઇ ગ્રાહકોમાં પણ અસમંજસ ફેલાઈ રહ્યો છે..-Latest Gujarati News 

પેટ્રોલ પંપ ધારકો પણ બેંક 5ની નોટ લેતા નથી -India News Gujarat 

ઇન્ડિયા ન્યુઝ સાથે વાત કરતા એક ગ્રાહકે જણાવ્યું કે  પેટ્રોલ પંપ ધારકો પણ બેંક 5ની નોટ લેતા ન હોવાનો ભ્રમ ફેલાવી ગ્રાહકો પાસેથી સિક્કા લેવા માટે આડોડાઈ કરી રહ્યા છે.

શહેરમાં પહેલાથી ચિલ્લર માટે કકળાટ થઈ રહ્યો છે. ત્યાં રૂપિયા 5ની નોટ  સ્વિકારવાનો ઇનકાર છેવટે ગ્રાહકો માટે નુકસાની સાબિત થઈ રહ્યો છે ત્વેયારે વેપારીઓની  આવી આડોડાઈ સામે ગ્રાહકોને મોટી નોટ આપી છુટ્ટા લેવાની ફરજ પડી રહી છે..-Latest Gujarati News 

આ નોટબંધીની અફવાનો છેદ ઉડે એ જરૂરી -India News Gujarat 

6 વર્ષ આગાઉ અચાનક થયેલી (Demonetization) નોટબંધીને પગલે 500 અને 1000ની ચલણી નોટ રદ્દ કરવામાં આવી હતી.

આ સત્તાવાર જાહેરાત સામે નવી નોટો પણ બજારમાં આવી હતી.જોકે 5 રૂપિયાની નોટ મામલે કોઈ  RBI સુચના તંત્ર તરફથી આપવામાં આવી નથી.  છતાં દુકાનદારો રૂપિયા 5ની વ્યવસ્થિત નોટ પણ લેવાનું ટાળી રહ્યા છે. શહેરમાં મોટાભાગની દુકાનો અને લારીઓવાળા રૂપિયા 5ની નોટ સ્વિકારવાની ના પડાતા ગ્રાહક અને દુકાનદાર વચ્ચે રોજ તુતુ-મેમેના દ્રશ્ય જોવા મળે છે.

આ મામલે સરકારી વિભાગ સજાગતા દાખવી વિશેષ નોટીફિકેશન જાહેર કરે તો તમામ અફવાનો છેદ ઉડી જાય તેમ છે..-Latest Gujarati News 

ચલણ ન સ્વીકારવું બંધારણ વિરુદ્ધ -India News Gujarat 

RBI  રિઝર્વ બેંકે જે ચલણ કાયદેસર રીતે અસ્તિત્ત્વમાં મુક્યું હોય તે ચલણનો સ્વીકાર કરવો એ દરેકની ફરજ છે, જો ચલણી નોટ ડેમેજ નહીં હોય કે સિક્કામાં કોઇ ખામી નહીં હોય તો આવા ચલણનો અસ્વીકાર કરવો ગેરકાયદેસર છે. ચલણ ન સ્વીકારવું બંધારણની વિરુદ્ધ છે.RBI રિઝર્વ બેંકના માર્ગદર્શન પ્રમાણે બેંક સંસ્થા અને નાગરિકોએ આવા ચલણ સ્વીકારવા જ પડે. જો લિગલ ટેન્ડર ન સ્વીકારવામા આવે તો તેવા કોઇ પણ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી પણ થઇ શકે છે.

નવેમ્બર 2016માં એક રાત્રે અચાનક જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચસો અને હજાર રૂપિયાની (Demonetization)  નોટને બંધ કરવાની જાહેરાત કરી હતી. પછી સરકાર ગુલાબી રંગની બે હજાર રૂપિયાની નવી નોટ લઈને આવી.પરંતુ હવે ધીમેધીમે આ નોટ પણ બજારમાંથી ગાયબ થઈ રહી હોઈ તેવું વર્તાઈ રહ્યું છે..-Latest Gujarati News 

તમે આ પણ વાંચી શકો છો: Cycle Sharing Project-નાના વરાછાથી કામરેજ સુધી દોડશે સાઇકલો

તમે આ પણ વાંચી શકો છો: IPO-નિયમ બદલાઈ રહ્યો છે, રોકાણકારોને મળશે લા

 

SHARE

Related stories

Latest stories