HomeGujarat50 Years Old Abdul Arrest :- 17 વર્ષ ની તરૂણીને અપહરણ કરી...

50 Years Old Abdul Arrest :- 17 વર્ષ ની તરૂણીને અપહરણ કરી ગયો હતો : India News Gujarat

Date:

50 Years Old Abdul Arrest :- 17 વર્ષ ની તરૂણીને અપહરણ કરી ગયો હતો : India News Gujarat

 

  • 50 Years Old Abdul Arrest : સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં ગતરોજ લાજપોર ખાતેથી એક 50 વર્ષીય વિધર્મી દ્વારા 17 વર્ષની તરુણીનું અપહરણ કરી ભાગી ગયો હતો
  • તેવી ફરિયાદ સચિન પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી. ત્યારે આ ફરિયાદને ધ્યાને લઈ સચિન પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ ટીમો અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સાથે રાખી તપાસ શરૂ કરવામાં આવી હતી
  • આ તપાસમાં સચિન પોલીસ સ્ટેશનના બાતમીના આધારે વિધર્મી યુવક મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી ઝડપાયો છે.

50 Years Old Abdul Arrest: 17 વર્ષ ની તરૂણીનું અપહરણ કરી ગયો હતો વિધર્મી આધેડ અબ્દુલ 

  • વિધર્મીઓ દ્વારા સુનિયોજિત રીતે ચલાવાઈ રહેલ લવજેહાદ અંતર્ગત રોજ નવા-નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં લાજપુર ખાતે રહેતી શ્રમજીવી પરિવારની એક 17 વર્ષીય તરુણીને પરિણીત વિધર્મી યુવક અબ્દુલ હમીદ મઘી દ્વારા પ્રેમ જાળમાં ફસાવીને અપહરણ કરી ગયા બાબતે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી
  • જેની તપાસમાં પોલીસે પાલઘર ખાતે થી વિધર્મી આધેડ અબ્દુલ હમીદ ને ઝડપી લીધો છે..
  • અબ્દુલ તરૂણીને ફેરવવાના બહાને રાજ્ય અને દેશના અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો. આ ઘટનાને ગંભીરતાથી ધ્યાને લઈ સચિન પોલીસ સ્ટેશનના પીઆઇ રમેશ દેસાઈએ એક ટીમ અજમેર અને અન્ય ટીમો અલગ અલગ જગ્યાએ રવાના કરી હતી
  • ત્યારે હ્યુમન રિસોર્સના આધારે ખબર પડી હતી કે આ આરોપી હાલ મહારાષ્ટ્રના પાલઘરમાં રોકાયો છે જેથી એક ટીમ તરત જ મહારાષ્ટ્રના પાલઘર ખાતે જઈ તે તરુણીને કબજે લઈ અને વિધર્મી યુવકને ઝડપી પાડી સુરત ખાતે લવાયા હતા
  • અત્યારે હાલ આ ઘટનાની તપાસ એસી એસટી સેલ દ્વારા કરવામાં આવી રહી છે.

સુનિયોજિત કાવતરું કરીને કરાયું હતું અપહરણ

  • સુનિયોજિત કાવતરા કરીને વિધર્મીઓ દ્વારા ચલાવાય રહેલ લવજેહાદ બાબતે જાણવા મળતી માહિતી અનુસાર કેટલીક સંસ્થાઓ આપ્રકારની પ્રવૃતિ કરવા માટે વિશેષ પ્રકારની તાલીમ પામેલા યુવકોને ધાર્મિક અને શેક્ષણિક સંસ્થાઓમાં મોકલીને આયોજન રીતે લોકોને તૈયાર કરીને બધી રીતની સહાયતા આપી
  • આર્થિક લાભ અને અન્ય સહાયતા આપી આખું નેટવર્ક ચાલાવાઈ રહ્યું હોવાનું ધ્યાન પર આવતા હવે પોલીસ પણ આવા મામલે વધુ સતર્ક થઈને કામ કરી રહ્યા છે
  • પોલીસ ઘણીવાર આ પ્રકારનાં ગુનાઓ માં ત્વરિત કામગીરી કરતી નથી હોતી જેના કારણે માસૂમ બાળકીઓ લવજેહાદ જેવા ષડયંત્રો નો શિકાર થઈ જાય છે અને પછી આવી પીડિત યુવતી અને બાળાઓ ની જિંદગીભર નર્કની યાતના ભોગવવી પડે છે ત્યારે હિન્દુ સંગઠનો હવે જ્યારે પણ લવ જેહાદ જેવી બાબતો ધ્યાન પર આવે છે ત્યારે યોગ્ય રીતે પોલીસ પર દબાણ કરીને ત્વરિત કાર્યવાહી કરવા મજબૂર કરે છે અને તેના કારણે ઘણી બધી માસૂમ યુવતીઓ ની જિંદગી બગાડતાં બચી રહી છે..

આ પણ વાંચો :

The Kashmir Files: ભાજપનો ઓમર અબ્દુલ્લા પર વળતો પ્રહાર, કહ્યું કે તેમના પિતાએ હિંદુઓને મરવા માટે છોડી દીધા

આ પણ વાંચો :

Jammu-Kashmir: ફારુક અબ્દુલ્લાએ ફિલ્મ ‘The Kashmir Files’ પર પ્રતિબંધ મૂકવાની કરી માગ

 

 

 

SHARE

Related stories

Latest stories