HomeGujaratRamnavami Shobha Yatra : ઓલપાડમાં ભગવાન શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા, રામ નવમીના...

Ramnavami Shobha Yatra : ઓલપાડમાં ભગવાન શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા, રામ નવમીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી – India News Gujarat

Date:

Ramnavami Shobha Yatra : વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઓલપાડ દ્વારા શોભાયાત્રા ઓલપાડ વેપારી મંડળો દુકાન બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા.

ખુબજ મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ જય શ્રી રામના નારા લગાવ્યા

ઓલપાડમાં ભગવાન શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા યોજાઇ હતી.આ યાત્રામાં ખુબજ મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ રામ નવમીના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. ઓલપાડમાં આયોજિત શોભાયાત્રામાં ખુબજ મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ જય શ્રી રામના નારા લગાવી સમગ્ર માહોલ ભક્તિમય બનાવી દીધો હતો.ઓલપાડ અને આસપાસના ગ્રામજનોએ કાર્યક્રમમાં હાજરી આપી સમગ્ર આયોજનને સફળતા અપાવી હતી.

Ramnavami Shobha Yatra : ઓલપાડ ટાઉન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો

ભગવાન શ્રીરામનાં જન્મ દિવસ એટલે રામ નવમીની સુરત જિલ્લામાં ભવ્યતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રામજી મંદિર માં વહેલી સવાર થી જ઼ ભક્તો ઉમટી પડયા હતા અનેં પ્રભુ રામના દર્શન કર્યા હતા. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઓલપાડ દ્વારા ઓલપાડ ખાતે આવેલ ભૂતિયા હનુમાન મંદિરથી રામનવમી નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આ શોભાયાત્રા ઓલપાડ ભટગામ રોડ નજીક આવેલ ભૂતિયા હનુમાન મંદિર થી પ્રસ્થાન કરી ઓલપાડ બજારમાંથી નિકરી સુરત રોડ પર સી. એન જી પંપ નજીક સુધી પહોંચી પૂર્ણ થઇ હતી. આ શોભા યાત્રા દરમ્યાન ડી. જે. નાં તાલ સાથે જય શ્રી રામના નારા સાથે ઓલપાડ ટાઉન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.સાથે આ રામ નવમીની ઉજવણી પ્રસંગે ઓલપાડ વેપારી મંડળો દ્વારા દુકાન બંધ રાખી શોભાયાત્રા માં જોડાયા હતા.આ શોભા યાત્રા શાંતિ પૂર્ણ માહોલ માં પૂર્ણ થઇ હતી. આ પ્રસંગે ઓલપાડ સહીત ગ્રામજનો જોડાયા હતા.

તમે આ પણ વાંચી સકો છો :

Voting Awareness: સુરતમાં મતદાન જાગૃતિ અભિયાન, સ્ટેટ આઈકોન નિકિતા કુંવરે મતદારોને કરી અપીલ

તમે આ પણ વાંચી સકો છો :

Ram Navami Mahotsav : પુરુષોત્તમ ભગવાનશ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય, દિવસ શ્રી રામ નવમી નાં પાવન અવસરે રામોત્સવ

SHARE

Related stories

Latest stories