HomeBusinessPre-Vibrant Summit/‘Redefining G&J : A Vision for Gujarat's Tech Powered Transformation’ વિષય...

Pre-Vibrant Summit/‘Redefining G&J : A Vision for Gujarat’s Tech Powered Transformation’ વિષય પર સેશન યોજાયું/INDIA NEWS GUJARAT

Date:

જેમ્સ એન્ડ જ્વેલરી વિશે પ્રિ–વાઇબ્રન્ટ સમિટના પુવાર્ધ રૂપે યોજાયેલા સેમિનારમાં ‘Redefining G&J : A Vision for Gujarat’s Tech Powered Transformation’ વિષય પર સેશન યોજાયું

જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી ડેવલપ કરવા ઇકો સિસ્ટમ ઉભી થવી જોઈએ, જેમ્સ એન્ડ જ્વેલરીને ગુજરાતનું ફલેગશીપ કે ડ્રીમ પ્રોડકટ બનાવી તેને બ્રાન્ડ તરીકે વિશ્વભરમાં આપવી જોઇએ, ચેમ્બર ઓફ કોમર્સના વિઝન ‘મિશન ૮૪’પ્રોજેકટ અંતર્ગત ૮૪ દેશોમાં તેને એક્ષ્પોર્ટ કરી શકીએ : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા

સુરતે વેલ્યુ એડીશન માટે જ્વેલરી મેન્યુફેકચરીંગમાં આવવું પડશે, એના માટે સ્કીલ સેન્ટર ઉભા કરી જ્વેલરી બનાવવા કારીગરોને ટ્રેઇન કરવાની જરૂર છે, ભારતને વિશ્વનું જ્વેલરી સેન્ટર બનાવવું જોઇએ : ઉદ્યોગ અગ્રણીઓ અને નિષ્ણાંતો

૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦ર૪ના પૂર્વાર્ધ રૂપે મંગળવાર, તા. ૧ર ડિસેમ્બર, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતેના પ્લેટિનમ હોલમાં ‘Jewellery, Gemstones and Gujarat : Renaissance for Radiant Bharat’ની થીમ પર જેમ્સ અને જ્વેલરી સેકટર પર પ્રિ–વાઈબ્રન્ટ સેમિનાર યોજાયો હતો. જેમાં બપોરે ૧રઃ૩૦ કલાકે ‘Redefining G&J : A Vision for Gujarat’s Tech Powered Transformation’ વિષય પર સેશન યોજાયું હતું.

આ સેશનમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના પ્રમુખ જયંતિ સાવલિયા, શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ના ડાયરેકટર શ્રેયાંશ ધોળકિયા, ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીના ફાઉન્ડર એન્ડ સીઇઓ કલ્પેશ દેસાઇ, જેમ્સ એન્ડ જ્વેલરી સ્કીલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેરમેન અદિલ કોટવાલ અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટના ડાયરેકટર સમીર જોશી વિગેરે ઉદ્યોગ અગ્રણીઓએ ભાગ લઇ ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપ્યું હતું. આ સેશનને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇનના ડાયરેકટર પ્રવીણ નાહરે મોડરેટ કર્યું હતું.

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીમાં જેટલી પણ ટેકનોલોજી આવે છે તેને અપનાવી ઉદ્યોગકારો પ્રોડકશન કરે છે પણ આ બધી ટેકનોલોજી વિદેશોથી આયાત થાય છે ત્યારે ઇન્ડસ્ટ્રીમાં જરૂરિયાત મુજબની ટેકનોલોજી ડેવલપ કરવા માટે ઇકો સિસ્ટમ ઉભી થવી જોઇએ. વિદેશોથી પણ જે ટેકનોલોજી આયાત થાય છે તેને ડેવલપ કરનારા ૩૦ ટકા ભારતીય મુળના છે, આથી સુરત સહિત ગુજરાતમાં જ એવું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર કે ઇકો સિસ્ટમ ઉભી કરવામાં આવે કે જેમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરીને એને પ્રમોટ કરી શકાય અને એને સંસાધનો પુરા પાડવામાં આવે. આ બાબતને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ સ્વીકારશે.

વધુમાં તેમણે કહયું હતું કે, રૂપિયા પ૦૦થી ર૦૦૦ કરોડનું ફંડ ઉભું કરી ટેકનોલોજી ડેવલપ કરવામાં આવે. માર્કેટ રિસર્ચ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને સુરતમાં અથવા ગુજરાતમાં ટેકનોલોજી ડેવલપમેન્ટ કરવા માટેનું સેન્ટર સેટઅપ કરવામાં આવે. જેમ્સ એન્ડ જ્વેલરીને ગુજરાતનું ફલેગશીપ કે ડ્રીમ પ્રોડકટ બનાવીને વિશ્વભરમાં એક બ્રાન્ડ તરીકે તેને આપી શકીએ તેમ છીએ. એના માટે ચેમ્બર ઓફ કોમર્સના મહત્વાકાંક્ષી વિઝન ‘SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪’ પ્રોજેકટ અંતર્ગત ૮૪ દેશોમાં આ જ્વેલરી બાન્ડને એક્ષ્પોર્ટ કરી શકીએ. આવી રીતે ઘણા બધા આયામોને સિદ્ધ કરી શકાય તેમ છે.

જયંતિ સાવલિયાએ જણાવ્યું હતું કે, પહેલા હાથથી બનતી જ્વેલરીમાં હવે થ્રીડી ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવે છે. હવે તો સ્કેચ બુક પ્રો ક્રિએટ ટેકનોલોજીના ઉપયોગથી જ્વેલરીમાં જુદી–જુદી ડિઝાઇન બને છે. જ્વેલરી બનાવનારા પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને આગળ વધી રહયાં છે.

શ્રેયાંશ ધોળકિયાએ જણાવ્યું હતું કે, એથિકલ સોર્સિંગ એ ડેટા પર ડિપેન્ડ કરે છે ત્યારે ડેટાનો ઉપયોગ બ્લોક ચેઇનના માધ્યમથી કરી શકાય છે. કયા ભાગની જમીન (માઇન)માંથી ડાયમંડ આવ્યા છે તે જાણવા માટે ટેકનોલોજી ડેવલપ થઇ રહી છે ત્યારે મશીન બનાવીને સ્કીલ યુનિવર્સિટીમાં તેનું સેટઅપ કરી શકાય છે.

કલ્પેશ દેસાઇએ જણાવ્યું હતું કે, જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં દર ત્રણ – પાંચ વર્ષે ટેકનોલોજી બદલાઇ જતી હોય છે. આ ઇન્ડસ્ટ્રીમાં પણ ડિજીટલાઇઝેશન થઇ રહયું છે. હાલમાં સ્કેચ બુક પ્રો ક્રિએટ ટેકનોલોજી આવી ગઇ છે, જેમાં દસથી પંદર મિનિટ લાગે છે અને જ્વેલરી એ પ્રમાણે ડિઝાઇન થઇ જાય છે. અત્યારે ઇન્ડસ્ટ્રી થ્રીડી ડિઝાઇન પર ફોકસ કરી રહી છે.

અદિલ કોટવાલે જણાવ્યું હતું કે, મોટા ભાગે જ્વેલરી થાઇલેન્ડ, ઇટલી, ફ્રાન્સ અને સ્વીત્ઝરલેન્ડમાં ડિઝાઇન થાય છે અને બને છે. જેને કારણે ભારતમાં જ્વેલરીનું વેલ્યુ એડીશન રથી ૩ ટકા એટલે ખૂબ જ નાના પાયે થાય છે, આથી જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં સ્કીલ ડેવલપમેન્ટ જરૂરી છે. સુરતમાં જ્વેલરી ડિઝાઇન કરવાની જરૂર છે અને ભારતથી જ જ્વેલરી એક્ષ્પોર્ટ થવી જોઇએ. એના માટે સ્કીલ સેન્ટર ઉભા કરી જ્વેલરી બનાવવા માટે કારીગરોને ટ્રેઇન કરવાની જરૂર છે. ભારતને વિશ્વનું જ્વેલરી સેન્ટર બનાવવું જોઇએ.

સમીર જોશીએ જણાવ્યું હતું કે, સુરતે વેલ્યુ એડીશન માટે જ્વેલરી મેન્યુફેકચરીંગમાં આવવું પડશે. સમગ્ર વિશ્વ હવે રિસાયકલીંગ પર ફોકસ કરી રહયું છે ત્યારે સુરતે પણ પીળા સોનાથી આગળ વધીને પર્પલ અને બ્લેક ગોલ્ડ જ્વેલરીમાં પણ વિવિધ વેરાયટી બનાવવી જોઇએ. એના માટે ઇન્ડસ્ટ્રીએ ટેકનોલોજી પર ફોકસ કરવું પડશે.

SHARE

Related stories

Latest stories