HomeSurat NewsTwo Sisters Commit Suicide: ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યા પિતરાઇ બહેનોના મૃતદેહો -...

Two Sisters Commit Suicide: ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યા પિતરાઇ બહેનોના મૃતદેહો – INDIA NEWS GUJARAT

Date:

Two Sisters Commit Suicide: સુરતમાં યુવતીઓના આપઘાતમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બે પિતરાઈ બહેનોના ઝાડ પર લટકતાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. બન્ને યુવતીઓ તૈયાર થઈને ગઈ હોય અને ઝાડી ઝાંખરામાંથી મૃતદેહ મળી આવતાં પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો.

Two Sisters Commit Suicide: બંનેના શરીર પર હતા ઈજાના નિશાન

અલથાણ વિસ્તારમાં ઝાડી ઝાંખરામાંથી બે યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. બંન્ને યુવતીના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. બંન્ને બહેનોના મૃતદેહ પરથી એવું લાગ્યું કે કોઈ મેરેજ માટે સજી ધજી હોય. બંન્ને બહેનો નીલમ વર્મા અને રોશની વર્મા મૂળ મધ્યપ્રદેશની વતની હતી. સુરતમાં છૂટક કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ રૂપ થતી હતી. મળતી વિગતો અનુસાર બન્ને બહેનોને લવ મેરેજ કરવાની ઈચ્છા હતી. યુવકો સાથે ભાગી જવાની ફિરાકમાં હતા. પ્રેમીઓએ ભાગી જવાની ના પાડતા બંન્ને બહેનો ભાંગી પડી હતી. જેથી અવાવરું જગ્યા પર ઝાડ સાથે ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નાની-નાની બાબતોમાં આત્મહત્યા સુધીના કિસ્સામાં ચિંતાજનક વધારો

નાની ઉમરે પ્રેમ સંબંધમાં નિષ્ફળતા જેવા કિસ્સોમાં આત્મહત્યા કરવાની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. હાલના સમયમાં યુવાનોમાં આવેષમાં આવી જઈને આત્યંતિક પગલું ભરી લેતા હોય છે સહન શક્તિનો અભાવ સાથેજ માનસિક તણાવ આ તમામ બાબતોમાં જવાબદાર હોવાનું અનેક ઘટનાઓમાં ખૂલવા પામ્યું છે તો કેટલીક ઘટનામાં આર્થિક કારણો જવાબદાર હોવાથી આત્મહત્યા જેવા અંતિમ પગલાં ભરતા લોકો જરાપણ વિચારતા ના હોવાની હકીકત સામે આવી રહી છે.. નાની નાની વાતના પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પણ આત્મહત્યાની ઘટનાઑ ખુબજ આઘાતજનક રીતે વધારો નોંધાય રહ્યો હોવાનું છેલ્લા થોડા સમયમાં સામે આવ્યું છે. આ તમામ બાબતોમાં આત્મહત્યા કરનાર લોકોને ડિપ્રેશન સમયે જો યોગ્ય માર્ગદર્શન અને કાઉન્સેલિંગ મળી રહે તો ઘણાબધા આત્મહત્યાના કિસ્સા રોકી શકવાં સફળતા મળી શકે છે.

તમે આ પણ વાંચી શકો છો:

Farmer Protest: ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ નકારી કાઢ્યો, 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાનો નિર્ણય-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

‘…સુપ્રીમ કોર્ટ કહે છે કે શ્રી કૃષ્ણએ ભ્રષ્ટાચાર કર્યો હતો’, PM MODIએ ચૂંટણી બોન્ડ પરના પ્રતિબંધ અંગે કટાક્ષ-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories