HomeSurat NewsSurat Railway Station-અડધાથી વધુ ટીકીટ બારીઓ બંધ-India News Gujarat

Surat Railway Station-અડધાથી વધુ ટીકીટ બારીઓ બંધ-India News Gujarat

Date:

 Surat Railway Station:  અડધાથી વધુ ટીકીટ બારીઓ બંધ રહેતા હાલાકી ભોગવી રહેલા મુસાફરો-India News Gujarat

  • Surat Railway Station  ઉપર પશ્ચિમ વિસ્તારમાં એકથી 14 નંબર સુધીની બારી છે .
  • પરંતુ આમાં મુસાફરોએ 7 થી 12 નંબરની બારી ઉપરથી જ ટિકિટ ખરીદવી પડે છે .
  • સિનિયર સિટીઝન , દિવ્યાંગ અને પ્લેટફોર્મ ટિકિટની બારીઓ હંમેશા બંધ રાખવામાં આવે છે
  • Surat Railway Station  ઉપર ટિકિટ બુકિંગ ઓફિસ દ્વારા સિનીયર સીટીઝન(Senior Citizen ) અને વિકલાંગો માટે અલગ વિન્ડો(Window ) ઉપલબ્ધ ન હોવાને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
  • ઉપરાંત, પ્લેટફોર્મ ટિકિટ ખરીદવા માટે પણ સામાન્ય ટિકિટ બુકિંગવાળા મુસાફરોને લાંબી લાઈનોમાંથી પસાર થવું પડે છે .
  • મુસાફરોની ફરિયાદ છે કે અડધાથી વધુ ટીકીટ બારીઓ બંધ હોય છે , અને પીક અવર્સ દરમિયાન પ્લેટફોર્મ ટિકિટ મેળવવી મુશ્કેલરૂપ બની રહયુ છે
  • કોવિડ -19 રોગચાળા પછી , પશ્ચિમ રેલ્વેએ પહેલાની જેમ મુસાફરોની સુવિધાઓ શરૂ કરવા માટે અનેક નિર્ણયો લીધા છે .

દસ હજાર મુસાફરો પ્લેટફોર્મ ટિકિટ ખરીદે છે

  • સુરત રેલ્વે સ્ટેશન ઉપર હજુ પણ વરિષ્ઠ નાગરિકો , દિવ્યાંગો અને અન્ય મુસાફરો માટે ઘણી પ્રાથમિક સુવિધાઓ જરૂરી છે , જે હજુ શરૂ થઈ નથી .
  • હોળીના તહેવારમાં કન્ફર્મ ટિકિટથી વંચિત હજારો મુસાફરોએ સુરતથી ટિકિટ બુકિંગ ઓફિસમાંથી જનરલ ટિકિટ બુક કરીને તેમની મુસાફરી કરી હતી .
  • માત્ર પાંચ દિવસમાં હજારો મુસાફરોએ કરંટ ટિકિટ ખરીદી હતી , જેમાં પ્લેટફોર્મ ટિકિટ ખરીદનારા મુસાફરોની સંખ્યા 51 હજારથી વધુ હતી .
  • દરરોજ સરેરાશ દસ હજાર મુસાફરો પ્લેટફોર્મ ટિકિટ ખરીદે છે , પરંતુ સુરત સ્ટેશને તેમના માટે કોઈ અલગ બારી નહીં હોવાના કારણે મુસાફરો પરેશાન છે .
  • સૂત્રોએ જણાવ્યું છે કે સુરત – મુંબઈ ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ , વલસાડ વડોદરા ઈન્ટરસિટી , મુંબઈ – અમદાવાદ મુંબઈ ગુજરાત એક્સપ્રેસ સહિતની અનેક ટ્રેનો એક પછી એક પસાર થાય છે
  •  આ સમય દરમિયાન , સ્ટેશને સામાન્ય ટિકિટ ખરીદનારા મુસાફરોની સંખ્યા ઘણી વધારે છે .
  • આ ઉપરાંત સુરત – છાપરા તાપ્તી ગંગા એક્સપ્રેસ , કચ્છ એક્સપ્રેસ , સૂર્યનગરી એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનો પણ ઉપડે છે .

અલગ બારી ન હોવાથી ભીડમાં લાંબી કતારોમાંથી પસાર થવું પડે છે

  • આ સમય દરમિયાન સિનીયર સીટીઝનોએ સામાન્ય ટિકિટ ખરીદવા માટે કોઈ અલગ બારી ન હોવાથી ભીડમાં લાંબી કતારોમાંથી પસાર થવું પડે છે .
  • ઉપરાંત , પ્લેટફોર્મ ટિકિટ ખરીદનારા મુસાફરો માટે કોઇ અલગ વિન્ડો નથી .
  • મુસાફરોએ જણાવ્યું કે અગાઉ સિનીયર સીટીઝન માટે અને પ્લેટફોર્મ ટિકિટ ખરીદવા માટે અલગ વિન્ડો હતી .
  • કોરોના પુરો થયા પછી પણ સિનીયર સીટીઝનોને સામાન્ય મુસાફરો સાથે ઉભા રહેવામાં તકલીફ પડે છે .
  • પરંતુ રેલ્વે તંત્ર ઘણી ટીકીટ બારીઓ બંધ રાખે છે , તે પિક અવર દરમિયાન પણ મુસાફરો માટે ખોલવામાં આવતી નથી
  • અત્રે ઉલ્લેખનીય છે કે સુરત સ્ટેશન ઉપર કોરોના મહામારી પછી , મુસાફરોની સંખ્યામાં હવે વધારો થયો છે .
  • પરંતુ પાયાની સુવિધાઓ શરૂ નહીં થવાના કારણે રોજબરોજ સિનીયર સીટીઝન અને પ્લેટફોર્મ ટિકિટ ખરીદનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે .

અડધી ટીકીટ બારીઓ બંધ રહે છે

  • કોરોના બિમારી હવે ઓછી થઇ છે . છતાં પણ સ્ટેશન ઉપર મોટાભાગની સામાન્ય ટિકિટ બુકિંગ વિન્ડો બંધ છે .
  • સુરત સ્ટેશન ઉપર પશ્ચિમ વિસ્તારમાં એકથી 14 નંબર સુધીની બારી છે .
  • પરંતુ આમાં મુસાફરોએ 7 થી 12 નંબરની બારી ઉપરથી જ ટિકિટ ખરીદવી પડે છે .
  • સિનિયર સિટીઝન , દિવ્યાંગ અને પ્લેટફોર્મ ટિકિટની બારીઓ હંમેશા બંધ રાખવામાં આવે છે .
  • બીજી બાજુ પૂર્વ તરફની ઉપલબ્ધ 4 બારીઓ છે .
  • મેટ્રો રેલના કામને કારણે ટ્રાફિક બ્લોક થઈ ગયો છે .
  • જેના કારણે સવાર અને રાત્રિની પાળીમાં એક જ બારી ખુલે છે .
  • જેના કારણે મુસાફરો હેરાન પરેશાન થઇ રહયા છે.

તમે પણ આ વાંચી શકો છો –

Surat Police CCTV- 595 નવા સીસીટીવી લગાડવાની તૈયારી-

તમે પણ આ વાંચી શકો છો –

GSEB – એક વિદ્યાર્થીને 3 સેન્ટર અપાતા મુશ્કેલીમાં વધારો

SHARE

Related stories

Latest stories