HomeIndiaજેસન રોય IPLમાંથી ખસી ગયો-IPL2022-India News Gujarat

જેસન રોય IPLમાંથી ખસી ગયો-IPL2022-India News Gujarat

Date:

IPL2022: જેસન રોય IPLમાંથી ખસી ગયો

IPL2022ની 15મી સિઝનની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો લાગ્યો છે. લીગની નવી ફ્રેન્ચાઈઝીના વિસ્ફોટક બેટ્સમેન જેસન રોયે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ઇંગ્લેન્ડના સ્ટાર ઓપનરે બાયો બબલની સમસ્યાને ટાંકીને લીગમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો(IPL2022)

tata-ipl2022
ઇપ્જેલ ૨૦૨૨ જેસન રોય IPLમાંથી ખસી ગયો

IPL2022ની 15મી સિઝનની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો લાગ્યો છે. લીગની નવી ફ્રેન્ચાઈઝીના વિસ્ફોટક બેટ્સમેન જેસન રોયે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ઇંગ્લેન્ડના સ્ટાર ઓપનરે બાયો બબલની સમસ્યાને ટાંકીને લીગમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.

રોય પાકિસ્તાન સુપર લીગમાં ક્વેટા ગ્લેડીયેટરનો ભાગ હતો(IPL 2022)

જેસન રોય સાથે આ બીજી વખત છે જ્યારે તેણે T20 લીગમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.

અગાઉ 2020 માં પણ, તેણે દિલ્હી કેપિટલ્સનો ભાગ હોવા પર વ્યક્તિગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચ્યું હતું.

રોય તાજેતરમાં પાકિસ્તાન સુપર લીગમાં ક્વેટા ગ્લેડીયેટરનો ભાગ હતો અને અહીં છ મેચમાં ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 50.50ની એવરેજ અને 170.22ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.

સનરાઇઝર્સ હૈદરાબાદનો હિસ્સો રહેલા રોયને આ હરાજીમાં ગુજરાતે તેની બે કરોડની બેઝ પ્રાઈસ સાથે ખરીદ્યો હતો.

અહેવાલો અનુસાર, રોયે ગયા અઠવાડિયે અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઇઝીને તેના નિર્ણય વિશે જાણ કરી હતી.

પરંતુ ટીમે હજુ તેના સ્થાનની જાહેરાત કરી નથી.

આઈપીએલમાં આ સિઝનથી કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે(IPL2022)

આ લીગનું આયોજન 26 માર્ચથી મેના અંત સુધી લગભગ બે મહિના માટે કરવામાં આવશે.

જેમાં ગુજરાતની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે, જ્યારે ટીમમાં રાશિદ ખાન, શુભમન ગિલ, ડેવિડ મિલર જેવા ખેલાડીઓ સામેલ છે.

તમે પણ આ વાંચી શકો છો –

કેદારનાથ ધામના દરવાજા 6 મેના રોજ ખુલશે-Date Of Opening Kedarnath Dham Finalised-India News Gujarat

તમે પણ આ વાંચી શકો છો –

સુરત મહાનગરપાલિકા દ્વારા 80 ધન્વંતરી રથ મંગળવારથી બંધ-Surat-80-dhanvantari-raths-will-be-closed- India News Gujarat

 

SHARE

Related stories

Latest stories