HomeSpiritualCelebration By Ahir Society: ખોડીયાર માતાના જન્મદિનની ઉજવણી કરાય, માતા મંદિરે યજ્ઞ...

Celebration By Ahir Society: ખોડીયાર માતાના જન્મદિનની ઉજવણી કરાય, માતા મંદિરે યજ્ઞ હવન કરી કેક કાપવામાં આવી – INDIA NEWS GUJARAT

Date:

Celebration By Ahir Society: કામરેજ ગામ ખાતે આજરોજ આહીર ભરવાડ સમાજના કુળદેવી ખોડીયાર માં ના મંદિરે જન્મજયંતી ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી હતી. આ ઉજવણી દરમ્યાન વિધિવધ પૂજા હવન સાથે કેક પણ કાપવામાં આવી હતી.

Celebration By Ahir Society: આહીર સમાજના કુળદેવી ખોડિયાર માતાનો જન્મદિન

આજરોજ કામરેજ ગામ ખાતે ડેરાખાડી નજીકના ખોડીયાર માં ના મંદિરે ખોડીયાર જયંતી ની ખુબ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કામરેજ ગામ આહીર સમાજ દ્વારા આજરોજ યજ્ઞ, કથા રાખવામા આવી હતી જેમા આહીર સમાજના 5 યુગલો પૂજા વિધિમા ભાગ લીધો હતો સાથે સાથે કેક પણ કાપવામાં આવી હતી. આ પ્રસંગે આહીર સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી માં ખોડીયારના આશીર્વાદ લીધા હતા. સમગ્રદેશમા સુખ શાંતી રહે અને સર્વ સમાજ સુખી રહે તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી. વધુમા કામરેજના આગેવાન મનીષ આહીર સહીત આહીર સમાજના યુવાનોએ એ નરેન્દ્રભાઇ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

ખોડિયાર માતા ના પ્રાગટ્ય દિવસ તરીકે આજે માતાની જન્મ જયંતી માનવવામાં આવે છે ત્યારે આહીર સમાજના અગ્રણીઓની હાજરીમાં યોજાયેલા યજ્ઞ હવન અને પૂંજા બાદ માતાને પ્રસન્ન કરવા કેક કાપીને આજની યુવા પેઢીની નવી પરંપરા મુજબ [એન ખોડિયાર માતા નો જન્મદિન ઉજવાયો હતો.

તમે આ પણ વાંચી શકો છો:

Sandeshkhali Violence: NCSC એ રાષ્ટ્રપતિ મુર્મુને રિપોર્ટ સુપરત કર્યો, બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી

તમે આ પણ વાંચી શકો છો:

Bharat Jodo Nyay Yatra: પ્રિયંકા ગાંધી ન્યાય યાત્રામાં કેમ ન ગયા? નાદુરસ્ત સ્વાસ્થ્ય અથવા ભાઈ-બહેનનો સંબંધ

SHARE

Related stories

Latest stories