HomeBusinessSurat City Bus: સિટી બસ અને બીઆરટીસ બસ ના ભાડામાં 1 થી5...

Surat City Bus: સિટી બસ અને બીઆરટીસ બસ ના ભાડામાં 1 થી5 રુપિયાનો વધારો, કેશલેસ ટ્રાન્જેકશન થી મુસાફરો ને મળશે 20 ટકા ની રાહત-India News Gujarat

Date:

  • Surat City Bus: સુરત મહાનગર પાલિકા સંચાલિત સિટી બસના ભાડામાં 1 થી 5 રૂપિયાનો ભાવ વધારો થયો છે.
  • 38મી બોર્ડ મીટીંગમાં ભાવ વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • આજથી આ નવો ભાવ વધારો અમલી થયો છે.
  • આ ઉપરાંત બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે નવા ભાવ વધારાના બેનર પણ લગાડી દેવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુ વિસ્તારમાં BRTS અને સીટીબસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહી છે.

Surat City Bus: ભાડામાં 1 થી 5 રૂપિયાનો ભાવ વધારો થયો છે.

  • 38મી બોર્ડ મીટીંગમાં ભાવ વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • આજથી આ નવો ભાવ વધારો અમલી થયો છે. આ ઉપરાંત બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે નવા ભાવ વધારાના બેનર પણ લગાડી દેવામાં આવ્યા છે.
  • સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુ વિસ્તારમાં BRTS અને સીટીબસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહી છે.
  • શહેરના નાગરિકો દ્વારા બસ સેવાનો ખુબજ સારા પ્રમાણમાં લાભ લેવામાં આવી રહ્યો છે. જેના પરિણામે મુસાફરોની સંખ્યામાં ઉતરો-ઉતર વધારો થઇ રહ્યો છે.
  • સમગ્ર ભારતમાં સુરત શહેર માત્ર એક જ શહેર છે. જ્યાં એક ટીકીટ થી સીટીબસ અને BRTS માં મુસાફરી કરી શકાય છે.
  • હાલમાં BRTS ના કુલ 13 રૂટ તેમજ સીટીબસના કુલ 45 રૂટ ઉપર આશરે દૈનિક 2,50,000 જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઇ રહ્યા છે.

કેશલેસ ટ્રાન્જેકશનથી મુસાફરોને મળશે 20%ની રાહત

  • તા.18 ઓગસ્ટ 2023 ના રોજ સુરત સિટીલિંક લિ.ની 38મી બોર્ડ મીટીંગ યોજાઈ હતી.
  • આ બોર્ડ મીટીંગમાં તા.01-9-2023ના રોજથી સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર પરિવહન સેવામાં નવું સ્ટ્રકચર અમલીકરણ કરવા મંજુરી મળી છે.
  •  હાલમાં જાહેર પરિવહન સેવામાં મીનીમમ ભાડું રૂપિયા 4 થી મેક્સીમમ ભાડું 22 રુપિયા તથા અનલિમિટેડ મુસાફરી માટેનીસુમન પ્રવાસનું ભાડુ 25 રુપિયા અમલમાં છે.
  • આજથી મીનીમમ ભાડું 5 રુપિયાથી મેક્સીમમ ભાડું 25 રુપિયા તથા અનલિમિટેડ મુસાફરી માટેનીસુમન પ્રવાસનું ભાડુ 30 રુપિયા અમલમાં મુકવામાં આવી છે.
  • જેને કારણે છુટા પૈસાની સમસ્યાનું પણ નિવારણ આવશે.
  •  વધુમાં શહેરીજનોને વધુ સારી સેવાપુરી પાડવા હેતુસર તથા ડીજીટલાઈઝેશનને પ્રાધાન્ય આપવા માટે સિટીલિંક મોબાઈલ એપ્લીકેશન મારફત કેશલેસ ટ્રાન્જેકશન દ્વારા શહેરીજનોને મુસાફરી માટે ટિકિટમાં સીધા 20% ની રાહત આપવામાં આવશે.

આ પણ વાંચોઃ

MTAR Technologies Ltd નો શેર 52-સપ્તાહની ઉપલી સપાટી એ પહોંચ્યો, કંપની Aditya L1 Sun Mission માં મહત્વ ની જવાબદારી અદા કરશે

આ પણ વાંચોઃ

YouTube Video Fraud: યુટ્યુબ વિડીયો લાઈક કરીને રૂપિયા કમાઓ, જો આવો મેસેજ આવે તો રહો સાવધાન, તમારી સાથે થઈ શકે છે ફ્રોડ, જુઓ 

SHARE

Related stories

Latest stories