HomeGujaratWorld Hearing Day With CM:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકનું વિમોચન...

World Hearing Day With CM:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકનું વિમોચન કર્યુ-India News Gujarat

Date:

World Hearing Day With CM:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકનું વિમોચન કર્યુ-India News Gujarat

  • World Hearing Day With CM: જન્મજાત મૂક-બધિરતા ધરાવતા બાળકોના કોકલીયર ઇમ્પ્લાન્ટના વિનામૂલ્યે ઓપરેશનથી ગુજરાતમાં અત્યાર સુધી ર૮૦૦ બાળકોએ શ્રવણશક્તિ મેળવી
  • ગાંધીનગર સિવીલ હોસ્પિટલના કોકલીયર ઇમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા ૧૬૦૦ સર્જરી સફળતાથી પૂર્ણ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકનું વિમોચન કર્યુ
  • કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાવેલા બાળકો સાથે વાત્સલ્યસભર સંવાદ કર્યો
  • જન્મજાત મૂક-બધિર બાળકોએ શ્રવણશક્તિ મેળવી જીવનમાં પ્રથમવાર અવાજની કરેલી અનૂભુતિ અને નવજીવને અનેક પરિવારોમાં આનંદ પ્રસરાવ્યો છે તેની સફળ વાતો રજૂ કરતુ
  • ડૉ. નીરજ સુરીનું પુસ્તક ‘ધ હિયરીંગ ટેલ્સ’
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ હિયરીંગ ડે, તા. ૩ માર્ચે, ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકનું વિમોચન કરીને કોકલીયર ઇમ્પ્લાન્ટ દ્વારા શ્રવણશક્તિ મેળવેલા ૧૦ જેટલા ભુલકાંઓ સાથે વાત્સલ્યસભર સંવાદ કર્યો હતો.

3 માર્ચે આ વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરીંગ ડે ઉજવવામાં આવે છે

  • WHO દ્વારા ર૦૦૭ થી ૩ માર્ચે આ વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરીંગ ડે ઉજવવામાં આવે છે.
  • ગાંધીનગર સિવીલ હોસ્પિટલના કોકલીયર ઇમ્પ્લાન્ટ સેન્ટરના સર્જન ડૉ. નીરજ સુરી લેખિત-સંપાદિત ‘ધ હિયરીંગ ટેલ્સ’ પુસ્તકમાં એવા બાળકોની વાતો કરવામાં આવી છે જેમણે રાજ્ય સરકાર દ્વારા વિનામુલ્યે મળેલી સારવારથી જીવનમાં પહેલ વહેલી વાર અવાજની અનૂભુતિ કરી છે.
  • આવા બાળકોના માતા-પિતા અને સમગ્ર પરિવારમાં આના પરિણામે આવેલા પરિવર્તન-બદલાવ અંગેના પ્રતિભાવો પણ પુસ્તકમાં સમાવિષ્ટ છે.
  • વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરીંગ ડે ના દિવસે પ્રકાશિત થયેલું આ પુસ્તક સમાજમાં મૂક-બધિરતા સામે વહેલું અને વેળાસરનું નિદાન, સારવાર માટેની જનજાગૃતિનું સંવાહક બનશે.

પુસ્તક વિમોચન વેળાએ ઉપસ્થિત સ્પીચ થેરાપીસ્ટ

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પુસ્તક વિમોચન વેળાએ ઉપસ્થિત સ્પીચ થેરાપીસ્ટ, તબીબો અને કોકલીયર ઇમ્પ્લાન્ટ દ્વારા શ્રવણશક્તિ મેળવેલા બાળકોના પરિવારો સાથે પણ વાતચીત કરીને વિગતો મેળવી હતી.
  • બાળકોમાં રહેલી જન્મજાત મૂક-બધિરતા દૂર કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારે ફ્રી ઇમ્પ્લાન્ટ યોજના ર૦૧પના વર્ષથી શરૂ કરીને ૬ વર્ષથી નાની વયના બાળકો માટે ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં કોકલીયર ઇમ્પ્લાન્ટ સેન્ટર કાર્યરત કરેલું છે અને સમગ્ર રાજ્યમાં આ પ્રોગ્રામ નો અમલ કરવામાં આવે છે.
  • હિયરીંગ લોસ ધરાવતા બાળકોને અદ્યતન આરોગ્ય સેવાઓથી આ કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી અને ત્યારબાદ સ્પીચ થેરાપીના નિઃશુલ્ક ૧૦૦ જેટલા સેશન્સ બાળકને સામાન્ય બાળક જેવું જીવન આપવામાં મહત્વનું પ્રદાન કરે છે.
  • રાજ્યના આવા હિયરીંગ લોસ ધરાવતા બાળકોના સામાજીક, ભાવનાત્મક, વર્તન વાણી- વિકાસ થી સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર બાળક દીઠ રૂ. પાંચ લાખથી વધુના અંદાજીત ખર્ચે થતી સારવાર વિનામુલ્યે આપે છે.
  • અત્યાર સુધીમાં રાજ્યમાં જરૂરતમંદ ર૭પ૦ બાળકોના કોકલીયર ઇમ્પ્લાન્ટ વિનામુલ્યે કરવામાં આવ્યા છે.

મોંઘી સારવાર વિનામુલ્યે પૂરી પાડવા માટે રાજ્ય સરકાર

  • ગાંધીનગરની સિવીલ હોસ્પિટલમાં આવા ૧૬૦૦ થી વધુ ઓપરેશન થયા છે. એટલું જ નહિ, બાળક ઇમ્પ્લાન્ટ કરાવીને તેના ઘરે જાય પછી એક-બે વર્ષ સુધી તેના પૂનર્વસન માટે સિવીલ હોસ્પિટલ સામે ચાલીને ફોલો અપ લે છે.
  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના આરોગ્ય વિભાગે દરેક જિલ્લામાં ન્યૂ બોર્ન હિયરીંગ સ્ક્રીનીંગ OAE મશીન કાર્યરત કર્યા છે.
  • આના પરિણામે, નાના અને નવજાત શિશુની આવી મૂક-બધિરતાની બિમારીનું વ્હેલીતકે નિદાન અને અદ્યતન સારવારથી ઇલાજ શકય છે.
  • આવી સારવાર દ્વારા કોકલીયર ઇમ્પ્લાન્ટથી શ્રવણશક્તિ મેળવી સામાન્ય બાળક જેવું જીવન જીવતા ભુલકાંઓ સાથે શ્રી ભૂપેન્દ્ર પટેલે લાાગણીસભર સંવાદનો સેતુ સાધ્યો તે વેળાએ પુસ્તકના લેખિકા-સંપાદક ડૉ. નીરજ સુરી, રાજ્યમાં અંગદાન જાગૃતિના પ્રેરણાસ્ત્રોત દિલીપભાઇ દેશમુખ(દાદા) પણ સહભાગી થયા હતા.
  • બાળકોના વાલીઓએ આવી મોંઘી સારવાર વિનામુલ્યે પૂરી પાડવા માટે રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી દર્શાવી હતી.

આ પણ વાંચો : 

World Hearing Day 2023: દુનિયાના 150 કરોડથી વધારે લોકોને છે હીયરિંગ લોસ જેવી સમસ્યા, નશાની આદત બરબાદ કરે છે જીવન

આ પણ વાંચો : 

World Radio Day 2023: શા માટે 13 ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવે છે વિશ્વ રેડિયો દિવસ, જાણો તેનો ઈતિહાસ

SHARE

Related stories

Latest stories