HomeWorldFestivalRam Navami: અયોધ્યા રામમંદિરમાં 1 લાખથી વધુ લાડુ મોકલવામાં આવશે - INDIA...

Ram Navami: અયોધ્યા રામમંદિરમાં 1 લાખથી વધુ લાડુ મોકલવામાં આવશે – INDIA NEWS GUJARAT

Date:

Ram Navami: ચૈત્ર નવરાત્રીનો નવમો કે છેલ્લો દિવસ રામ નવમી આ વર્ષે વિશેષ હશે કારણ કે જાન્યુઆરીમાં અયોધ્યા રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું અને ભક્તોએ રામ લલ્લાના દર્શન કર્યા હતા. રામ મંદિર પ્રસાદમાં 1,11,111 કિલોગ્રામ લાડુ પણ ચઢાવમાં આવશે.

રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી રામ લલ્લાની પ્રથમ રામ નવમી વિશે બોલતા આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

Ram Navami: મંદિર ટ્રસ્ટ દ્વારા આપેલી માહિતી

દેવરાહ હંસ બાબા ટ્રસ્ટ 17 એપ્રિલે રામ નવમી 2024ના અવસરે અયોધ્યાના રામ મંદિરમાં 1,11,111 કિલો લાડુ મોકલશે. ટ્રસ્ટે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે 40,000 કિલો લાડુ પણ મોકલ્યા હતા. એક અધિકારીએ માહિતી આપી હતી. રામનવમીના દિવસે અયોધ્યા રામમંદિરમાં આવનારા ભક્તોનો સમય રાતના 11 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. ત્યારબાદ બ્રહ્મ મુહૂર્તમાં મંગળ આરતી, અભિષેક, શ્રૃંગાર અને દર્શન સવારે 3:30 વાગ્યાથી ક્રમમાં ચાલુ થશે .

શ્રૃંગાર આરતી સવારે 5:00 કલાકે થશે. તે સાથે 16, 17, 18 અને 19 એપ્રિલે સુગમ દર્શન પાસ, વીઆઈપી દર્શન પાસ, મંગળા આરતી પાસ, શ્રૃંગાર આરતી પાસ અને શયન આરતી પાસ કરવામાં આવશે નહીં તેવી માહિતી આપવામાં આવી હતી. તીર્થ ક્ષેત્રે એવી પણ માહિતી આપી હતી કે રામ નવમી પર શયન આરતી પછી મંદિરની બહાર નીકળવા પર પ્રસાદ ઉપલબ્ધ થશે, તેથી, દર્શનાર્થીઓએ તેમના મોબાઈલ ફોન, શૂઝ, ચપ્પલ, મોટી બેગ અને પ્રતિબંધિત વસ્તુઓ વગેરેને મંદિરથી સુરક્ષિત રીતે દૂર રાખવા જોઈએ.

તમે આ પણ વાંચી સકો છો :

Gir Forest: વન વિભાગ દ્વારા 500 જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા

તમે આ પણ વાંચી સકો છો :

‘The Legacy Of Jineshwar’ : ‘ધલેગસીઑફજિનેશ્વર’ ના ટ્રેલરમાં જોવા મળી જૈન પરંપરાની ઝલક

SHARE

Related stories

Latest stories