HomeIndiaNepal Plane Missing: તારા એરલાઈનનું વિમાન છ કલાક બાદ મળ્યું, ચાર ભારતીયો...

Nepal Plane Missing: તારા એરલાઈનનું વિમાન છ કલાક બાદ મળ્યું, ચાર ભારતીયો સહિત 22 લોકો હતા સવાર

Date:

Nepal Plane Missing: તારા એરલાઈનનું વિમાન છ કલાક બાદ મળ્યું, ચાર ભારતીયો સહિત 22 લોકો હતા સવાર

તારા એરલાઈન્સનું પ્લેન 9 NAET, પોખરાથી ભારતના પાડોશી દેશ નેપાળમાં જોમસોમ જઈ રહ્યું હતું, તેનો સંપર્ક તૂટી ગયો. વિમાને સવારે 9.55 કલાકે ઉડાન ભરી હતી. ગુમ થયેલા વિમાનમાં ચાર ભારતીય, ત્રણ જર્મન અને બાકીના નેપાળી નાગરિકો હતા. ડબલ એન્જિનવાળા વિમાનમાં ક્રૂ સહિત કુલ 22 મુસાફરો હતા. દરમિયાન, એરલાઈને તમામ મુસાફરોની યાદી જાહેર કરી છે, જેમાં ચાર ભારતીયોની ઓળખ અશોક કુમાર ત્રિપાઠી, ધનુષ ત્રિપાઠી, રિતિકા ત્રિપાઠી અને વૈભવી ત્રિપાઠી તરીકે કરવામાં આવી છે.

પ્લેન મસ્તાંગના કોવાંગમાં જોવા મળ્યું

આ દરમિયાન નેપાળની સેનાને ટાંકીને મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તારા એરલાઈન્સનું ગુમ થયેલ પ્લેન મળી આવ્યું છે. નેપાળની સેનાના જણાવ્યા અનુસાર, પ્લેન મસ્તાંગના કોવાંગમાં જોવા મળ્યું છે. જોકે, એરક્રાફ્ટની સ્થિતિ વિશે હજુ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે કહ્યું કે સ્થાનિક લોકો દ્વારા નેપાળ સેનાને આપવામાં આવેલી માહિતી અનુસાર, તારા એરનું વિમાન મનપતિ હિમાલમાં ભૂસ્ખલનને કારણે લમચે નદીના મુખ પર ક્રેશ થયું હતું. નેપાળ આર્મી જમીન અને હવાઈ માર્ગે અકસ્માત સ્થળ તરફ આગળ વધી રહી છે.

ધૌલાગીરી પર્વત પરથી વળ્યા બાદ સંપર્ક તૂટી ગયો

મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વિમાનને મુસ્તાંગ જિલ્લામાં જોમસોમના આકાશ પર જોવામાં આવ્યું હતું અને પછી તેને ધૌલાગિરી પર્વત તરફ વાળવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો. તે જ સમયે, જિલ્લા પોલીસ કાર્યાલય મુસ્તાંગના ડીએસપી રામ કુમાર દાનીએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે અમે સર્ચ ઓપરેશન માટે વિસ્તારમાં હેલિકોપ્ટર તૈનાત કરી રહ્યા છીએ.

વિમાનની શોધ માટે બે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા

નેપાળી ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદિન્દ્ર મણિ પોખરેલે જણાવ્યું હતું કે ગુમ થયેલા વિમાનની શોધ માટે મુસ્તાંગ અને પોખરામાં બે ખાનગી હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. શોધ માટે નેપાળ આર્મીના હેલિકોપ્ટરને પણ તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

નેપાળી સેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટર શોધ માટે થયું રવાના

નેપાળી સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે જણાવ્યું કે નેપાળી સેનાનું એક Mi-17 હેલિકોપ્ટર મુસ્તાંગ માટે રવાના થયું છે. આ હેલિકોપ્ટર ગુમ થયેલા વિમાનની શોધ કરશે.

કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ હોટલાઈન નંબર જારી કર્યો 

કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે ગુમ થયેલા વિમાનને લઈને ઈમરજન્સી હોટલાઈન નંબર, +977-9851107021 જારી કર્યો છે. વિમાનમાં 4 ભારતીયો સહિત 22 લોકો સવાર હતા. દૂતાવાસે ટ્વિટ કરીને લખ્યું છે કે દૂતાવાસ તેમના પરિવારના સંપર્કમાં છે.

આ પણ વાંચી શકો: પેરાશૂટ વિના 33 હજાર ફૂટની ઊંચાઈએથી પડીને પણ બચી ગઈ એર હોસ્ટેસ, ગિનિસ બુકમાં નોંધાયું નામ

આ પણ વાંચી શકો: Putin’s Protective Shield : જાણો પુતિનની સુરક્ષા કવચની સંભાળ કોણ રાખે છે

SHARE

Related stories

Latest stories