Health Tip: રોજ નાસ્તામાં 100 ગ્રામ પનીર ખાઓ, હિમોગ્લોબિન ઝડપથી વધશે વજન પણ નિયંત્રણમાં રહેશે-India News Gujarat
- Health Tip: પનીર માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તે શરીર માટે પણ ફાયદાકારક છે. તેને ખાવાથી શરીરમાં તમામ પોષકતત્વો મળી રહે છે અને શરીર અનેક રોગોથી સુરક્ષિત રહે છે.
- જો રોજ સવારે કાચું પનીર (Paneer) ખાવામાં આવે તો શરીરને તેના તમામ ફાયદાઓ મળે છે.
- સવારનો નાસ્તો તમારા શરીરમાં એનર્જીનું કામ કરે છે. આ તમને આખા દિવસ માટે એનર્જી આપે છે, જે તમને દિવસભર કામ કરવાની તાકાત આપે છે.
Health Tip:તો આ રહ્યા પનીર ના ફાયદા
કોલેસ્ટ્રોલ ઘટાડે છે
- પાણી કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, વિટામિન્સ, એન્ટી-ઓક્સિડન્ટ્સ વગેરે જેવા પોષક તત્વોથી ભરપૂર છે.તમારા શરીરમાં આ વસ્તુઓની ઉણપને પૂરી કરવાની સાથે તે સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
હિમોગ્લોબિન વધારે છે
- સ્ત્રીઓના શરીરમાં ઘણીવાર હિમોગ્લોબીનની ઉણપ જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તેઓ કાચા પનીરનું સેવન કરે છે, તો શરીરમાં લોહીની ઉણપ ઝડપથી દૂર થાય છે. તેમાં રહેલું આયર્ન એનિમિયાને ઝડપથી દૂર કરે છે.
વજન સંતુલિત રાખે છે
- પનીર ખાધા પછી પેટ ભરાઈ જાય છે. તમે લાંબા સમય સુધી બીજું કંઈપણ ખાવા માંગતા નથી. આવી સ્થિતિમાં, શરીર અતિશય આહારથી બચે છે અને તેનું વધારાનું વજન વધતું નથી. પનીર તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું પણ કામ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે
- ડાયાબિટીસના દર્દીઓ માટે કાચું પનીર ફાયદાકારક માનવામાં આવે છે. તેને સવારે ખાલી પેટ ખાવાથી એનર્જી તો મળે જ છે સાથે જ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.ડાયાબિટીસના દર્દીઓ દિવસ દરમિયાન તેને નાસ્તા તરીકે પણ ખાઈ શકે છે.
હાડકાં મજબૂત કરે
કાચા પનીર ખાવાથી હાડકા પણ મજબૂત બને છે. તે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. તે સ્ત્રીઓમાં ઓસ્ટીયોપોરોસિસનું જોખમ પણ ઘટાડે છે.30 વર્ષની આસપાસ મહિલાઓએ કોઈપણ સંજોગોમાં તેમના આહારમાં કાચા પનીરને સામેલ કરવું જોઈએ.
ખાવાની રીત
- પનીર સવારે ખાલી પેટ ખાવું જોઈએ.
- કસરત કર્યાના 10 મિનિટ પછી તમે 100 ગ્રામ પનીર ખાઈ શકો છો. તેને ખાધા પછી લગભગ એક કલાક સુધી બીજું કંઈ ન ખાવું જોઈએ. તેનાથી તમારા શરીરને પોષક તત્વો યોગ્ય રીતે મળી રહે છે.
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
તમે આ વાંચી શકો છો-
Health Tips: જાણો જાયફળના નાઔષધીય ગુણો, ફાયદા અને નુકશાન
તમે આ વાંચી શકો છો-