HomeIndiaEPF Account-બેકાર પડ્યા છે 3930.85 કરોડ રૂપિયા-India News Gujarat

EPF Account-બેકાર પડ્યા છે 3930.85 કરોડ રૂપિયા-India News Gujarat

Date:

 EPF નિષ્ક્રિય ખાતાઓમાં બેકાર પડ્યા છે 3930.85 કરોડ રૂપિયા -India News Gujarat

  • EPF: કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 1952 મુજબ કેટલાક ખાતાઓને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
  • યાદવે કહ્યું કે આવા તમામ નિષ્ક્રિય ખાતાઓમાં ચોક્કસપણે દાવેદારો છે.
  • સરકારે સંસદમાં આપી માહિતી

  • 31 માર્ચ, 2021ના રોજ આવા નિષ્ક્રિય ખાતાઓમાં જમા થયેલી કુલ રકમ રૂ. 3930.85 કરોડ છે.

  • સરકારે સંસદમાં જણાવ્યું કે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)માં નિષ્ક્રિય ખાતાઓમાં (Inactive Accounts) કુલ 3930.85 કરોડ રૂપિયા જમા છે.
  • શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે સુશીલ કુમાર મોદીના એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
  • તેમણે જણાવ્યું હતું કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડમાં કોઈ દાવા વગરની થાપણ નથી.
  • કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 1952 મુજબ કેટલાક ખાતાઓને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
  • યાદવે કહ્યું કે આવા તમામ નિષ્ક્રિય ખાતાઓમાં ચોક્કસપણે દાવેદારો છે.
  • 31 માર્ચ, 2021ના રોજ આવા નિષ્ક્રિય ખાતાઓમાં જમા થયેલી કુલ રકમ રૂ. 3930.85 કરોડ છે

EPF Account: 18 લાખથી વધારે રજિસ્ટર્ડ કંપનીઓ

  • તેમણે કહ્યું કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સાથે વિવિધ શ્રેણીઓમાં નોંધાયેલી કુલ કંપનીઓની સંખ્યા 18,62,128 છે.
  • આ સાથે તેમણે જણાવ્યું કે 1 ઓક્ટોબર 2020 પછી આ સંસ્થાઓ દ્વારા 1,44,82,359 નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી.
  • તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સૌથી વધુ રજિસ્ટર્ડ સંસ્થાઓ (2,97,684) છે, જ્યારે દિલ્હીમાં 1,14,151, ગુજરાતમાં 1,37,686, તમિલનાડુમાં 1,67,390 અને ઉત્તર પ્રદેશમાં 1,47,790 EPFO ​​સાથે નોંધાયેલા છે.

EPF Account: પ્રોવિડન્ટ ફંડ પર ઘટ્યુ વ્યાજ

  • જણાવી દઈએ કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને (EPFO) તાજેતરમાં પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો છે.
  • આ 40 વર્ષનું સૌથી નીચું સ્તર છે. નાણાકીય વર્ષ 2021-22માં પીએફ માટે વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યો હતો, જે નાણાકીય વર્ષ 2020-21માં 8.5 ટકા હતો.
  • તમને જણાવી દઈએ કે જો કોઈ કંપનીમાં 20થી વધુ કર્મચારીઓ કામ કરે છે તો પીએફ એપ્લાય કરવું જરૂરી છે.
  • પ્રોવિડન્ટ ફંડની મદદથી કર્મચારીનું ભવિષ્ય સુરક્ષિત છે.
  • EPFO શ્રમ મંત્રાલય હેઠળ આવે છે.

EPF Account: ક્યારે બંધ થાય છે EPF એકાઉન્ટ?

  • જો તમે નોકરી કરો છો અને કંપની EPFO ​​એક્ટ હેઠળ નોંધાયેલ છે તો તમારા પગારમાંથી દર મહિને પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે.
  • જો તમે જે કંપનીમાં કામ કરો છો, જો તે બંધ હોય અને તમે તમારા પીએફ ખાતાના પૈસા નવી કંપનીમાં ટ્રાન્સફર ન કરો અથવા પૈસા ઉપાડો નહીં, તો ખાતું બંધ થઈ જાય છે.
  • જો કે 3 વર્ષ સુધી કોઈ ટ્રાન્ઝેક્શન ન થાય તો આ માટે કાર્યવાહી કરવામાં આવે છે.
  • જો 36 મહિના સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નથી તો તમારું EPF એકાઉન્ટ નિષ્ક્રિય શ્રેણીમાં મૂકવામાં આવે છે.
  • નિષ્ક્રિય ખાતા પર વ્યાજ જમા થાય છે.

તમે પણ આ વાંચી શકો છો –

IPO-નિયમ બદલાઈ રહ્યો છે, રોકાણકારોને મળશે લાભ

તમે પણ આ વાંચી શકો છો –

Cycle Sharing Project-નાના વરાછાથી કામરેજ સુધી દોડશે સાઇકલો

SHARE

Related stories

Latest stories