Arvind kejriwal:આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન Arvind kejriwal પરિવર્તન યાત્રાનું સમાપન કરાવશે.
આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં 6 ઝોનમાં 15 મેથી પરિવર્તન યાત્રા શરૂ કરી દેવામાં આવી છે. જેના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી 6 જૂનના રોજ ગુજરાત મુલાકાત આવશે. જોવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા 2 મહીનામાં કેજરીવાલનો આ ચોથો પ્રવાસ હશે.
6 જૂનના રોજ કેજરીવાલ ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે આમ આદમી પાર્ટીની આ રણનીતિ પાટીદારોના મતોને પ્રભાવિત કરશે. મુખ્યમંત્રી કેજરીવાલ અહીં જંગી જાહેરસભાને પણ સંબોધન કરશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલની હાજરીમાં અમદાવાદ કે મહેસાણામાં એક રેલી કરવામાં આવશે. આ સાથે જ પાર્ટીએ નક્કી કર્યું છે કે, તેઓ આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ પહેલાં AAPના ઉમેદવારો જાહેર કરી દેશે.
આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી સોરઠીયાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આગામી 25 થી 30 દિવસમાં 10 હજાર જેટલા ગામોમાં AAPના કાર્યકર્તાઓ પહોંચશે. ગામડામાં લોકોને આમ આદમી પાર્ટી દ્વારા કયા પ્રકારની સુવિધા આપવામાં આવનાર છે તે બાબતથી માહિતગાર કરવામાં આવશે.
લોકો સુધી અને ઘર-ઘર સુધી પહોંચવા માટે પરિવર્તન યાત્રા ચાલુ છે. જેમાં છેલ્લા પંદર દિવસની વાત કરવામાં આવે તો અલગ-અલગ ઝોનમાં મનોજ સોરઠીયા, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી રહી છે અને સાથે સાથે જનસભા પણ સંબોધવામાં આવી રહી છે.
રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ(Congress), આમ આદમી પાર્ટી અને ભાજપ(BJP)ના રાષ્ટ્રીય નેતાઓ એક પછી એક કાર્યક્રમમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાં પહેલીવાર જોરદાર પ્રદર્શન કરીને આમ આદમી પાર્ટી(AAP) પણ ઉભરી આવી છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.