HomeIndia News ManchBLAST IN MASJID OF PESHAWAR પાકિસ્તાનના PESHAWARમાં એક મસ્જિદમાં મોટો વિસ્ફોટ :45ના મોત,65થી...

BLAST IN MASJID OF PESHAWAR પાકિસ્તાનના PESHAWARમાં એક મસ્જિદમાં મોટો વિસ્ફોટ :45ના મોત,65થી વધુ ઘાયલ- INDIA NEWS GUJARAT 

Date:

BLAST IN MASJID OF PESHAWAR પાકિસ્તાનના PESHAWARમાં એક મસ્જિદમાં મોટો વિસ્ફોટ :45ના મોત,65થી વધુ ઘાયલ- INDIA NEWS GUJARAT 

પાકિસ્તાનના PESHAWAR માં આજે એક મસ્જિદમાં મોટો વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનામાં 45 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. સ્થાનિક પોલીસ અધિકારી વાહીદ ખાને આ માહિતી આપી છે. PESHAWAR માં ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. આ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે લોકો PESHAWAR માં શુક્રવારની નમાજ માટે એક મસ્જિદમાં એકઠા થયા હતા. અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર, આવા વિસ્ફોટો વારંવાર ઈસ્લામિક સ્ટેટ (IS) અને તાલિબાન લડવૈયાઓ દ્વારા કરવામાં આવે છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હુમલામાં 65થી વધુ ઘાયલ થયા છે.

Big Blast At Peshawar In Pakistan

આત્મઘાતી હુમલાની આશંકા

સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મસ્જિદ પર થયેલો હુમલો આત્મઘાતી હોઈ શકે છે. તપાસ શરૂ કરી છે. અધિકારીએ કહ્યું કે ઘટનાસ્થળે ગભરાટનું વાતાવરણ છે. પોલીસ ઈમરજન્સીમાં છે. હુમલામાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. મીડિયાએ પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટ PESHAWARના કિસ્સા ખ્વાની બજારમાં સ્થિત જામિયા મસ્જિદમાં થયો હતો.

હુમલાખોરોએ ફરજ પરના પોલીસકર્મીની હત્યા કરી હતી

PESHAWAR એક પોલીસ ઓફિસર PESHAWAR જાઝ અહસાનના જણાવ્યા અનુસાર, બે હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેઓએ મસ્જિદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન હુમલાખોરોએ ફરજ પરના પોલીસકર્મીઓ પર પણ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગોળીબાર બાદ બોમ્બ વિસ્ફોટ થયો હતો. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા સત્તા સંભાળ્યા બાદ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધી ગયા છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ છે.

તમે આ પણ વાંચી શકો છો : રશિયાએ યુક્રેનના સૌથી મોટા Nuclear Plant પર કબ્જો કર્યો

તમે આ પણ વાંચી શકો છો :YouTubers આપી રહ્યા છે ભારતીય અર્થવ્યવસ્થાને ટેકો, 2020માં આપ્યું 6,800 કરોડ રૂપિયાનું યોગદાન- INDIA NEWS GUJARAT 

SHARE
- Advertisement -

Related stories

Inauguration Of Railway Overbridge/કીમ રેલવે ઓવરબ્રિજના બીજા ફેઝનું લોકાર્પણ કરાયું/INDAI NEWS GUJARAT

કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કીમ રેલવે ઓવરબ્રિજના...

Distribution Of Benefits Of Welfare Schemes/રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું/INDIA NEWS GUJARAT

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં માંડવી તાલુકાના રેગામા...

Interview With Swamiji Of Swaminarayan Institute/BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી સ્વામીજી સાથે મુલાકાત/INDIA NEWS GUJARAT

દુબઇમાં SGCCIના હોદ્દેદારોએ BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી...

Latest stories