HomeGujaratશિયાળામાં બનતા વસાણામાં વપરાતા ઘટકોનું મહત્વ

શિયાળામાં બનતા વસાણામાં વપરાતા ઘટકોનું મહત્વ

Date:

શિયાળામાં સુંઠ, ગંઠોળા, અને ગુંદરનું સેવન કરવાથી ઠંડી ઓછી લાગે છે કારણકે આ વસ્તુઓ શરીરને ગરમાવો આપે છે..અને ગુજરાતીઓને તો વસાણા વગર શિયાળો જાય જ કેમ એ મોટો સવાલ હોય છે..સુંઠ અને ગંઠોળાના મલ્ટી ઉપયોગો છે. આ ભારતની કેટલીક વાનગીઓ અને ચામાં પણ લોકો નાખતા હોય છે.. તેમજ આના પાવડરને આયુર્વેદિક સામગ્રીમાં પણ વાપરવામાં આવે છે.. ગુંદર પાક શરીરને ગરમાયો આપવા માટે પ્રખ્યાત છે..તેમજ ગુંદરના કેટલાક પ્રકારો પણ હોય છે..પુરુષો, સ્ત્રી, કુંવારી કન્યા બધા માટે અલગ અલગ પ્રકારના ગુંદર હોય છે અને દરેક પ્રકારના ગુંદરના ગુણ પણ અલગ અલગ હોય છે.. અલગ અલગ વસાણાનું મહત્વ પણ અલગ હોય છે..આ વસાણા ના ખાલી ગરમાવો આપે છે પણ સાથે જ હાડકાઓને મજબૂત બનાવે છે તેમજ કમર અને પગના દુખાવાને પણ ઓછા કરે છે..સાથે જ ગંઠોળાનો પાવડર શરીર ઘટાડવામાં પણ અસરકારક હોય છે તેમજ માથાનો દુખાવો ઓછો કરવામાં પણ અસરકારક હોય છે..

SHARE
- Advertisement -

Related stories

Latest stories