HomeWorldFestivalTree Ganesha : દસ દિવસ લાંબુ પર્યાવરણ જાગૃતિ અભિયાન : INDIA NEWS GUJARAT

Tree Ganesha : દસ દિવસ લાંબુ પર્યાવરણ જાગૃતિ અભિયાન : INDIA NEWS GUJARAT

Date:

ટ્રી ગણેશા : ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ચલાવવામાં આવતું દસ દિવસ લાંબુ પર્યાવરણ જાગૃતિ અભિયાન 

  • જાણીતા પર્યાવરણવાદી ગ્રીનમેન વિરલ દેસાઈએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ દરમિયાન ‘ટ્રી ગણેશા’ નામનું અનોખું પર્યાવરણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દર વર્ષે દસ દિવસ સુધી ચાલે છે, જેમાં સુરતની વિવિધ શાળાઓ અને કોલેજોના પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે. અને તેમને ‘પર્યાવરણ સેનાની’ બનાવવામાં આવે છે.
  • આ વર્ષે ‘ટ્રી ગણેશા’ અભિયાનની થીમ ‘લેટ્સ ક્રિએટ અર્બન ફોરેસ્ટ્સ’ રાખવામાં આવી છે. આ થીમ દ્વારા વિદ્યાર્થીઓને શહેરોમાં વધુને વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત અને તેના ફાયદાઓ વિશે જાગૃત કરવામાં આવે છે. આ અભિયાનમાં વિદ્યાર્થીઓને ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટ ચેન્જ’ નામના અભિયાન સાથે જોડવામાં આવે છે અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કરવામાં આવે છે.
  • ‘ટ્રી ગણેશા’ અભિયાનમાં દરેક વિદ્યાર્થીને એક છોડ ભેટમાં આપવામાં આવે છે જેથી તેઓ પોતાના ઘરે કે શાળામાં વાવી શકે. આ અભિયાનમાં સુરત પોલીસ, ગુજરાત સરકારનું વન વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) પણ સત્તાવાર રીતે જોડાય છે અને આ અભિયાનને સફળ બનાવવામાં મદદ કરે છે.
  • વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘ટ્રી ગણેશા અભિયાનનું મુખ્ય ઉદ્દેશ્ય શહેરોને અર્બન ફોરેસ્ટ્સના માધ્યમથી હરિયાળા બનાવવાનો અને પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો છે. આ રાજ્યનો એકમાત્ર એવો ગણેશ મહોત્સવ છે, જેમાં દસ દિવસ સુધી માત્ર પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. પાછલા સાત વર્ષોથી અમે આ મહોત્સવ ઉજવી રહ્યા છે, જેને પગલે અમે એક લાખ જેટલા વિદ્યાર્થીઓ સુધી પર્યાવરણ સંરક્ષણનો વિચાર પહોંચાડવામાં સફળ રહ્યા છીએ.’
SHARE

Related stories

Latest stories