HomeGujaratNotice to School in Surat-52 ખાનગી શાળાઓને નોટિસ ફટકારાતા સંચાલકોમાં રોષ-India News...

Notice to School in Surat-52 ખાનગી શાળાઓને નોટિસ ફટકારાતા સંચાલકોમાં રોષ-India News Gujarat

Date:

Issuing Notice to School -Surat ની 52 ખાનગી શાળાઓને નોટિસ ફટકારાતા સંચાલકોમાં રોષ-India News Gujarat

વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને શિક્ષકોની રોજગારી પર પ્રશ્નાર્થ

  • અગાઉ 13 શાળાના (School) સંચાલકોને રૂબરૂ બોલાવાયા હતા.
  • તે પૈકી પણ માત્ર 7 શાળા (School)સામે જ પગલાં લેવાતા દાળમાં કઇક કાળું હોવાની ચર્ચા ચાલી હતી.
  • જ્યારે આ વખતે 52 શાળાને(School) નોટિસ(notice) મુદ્દે સંચાલકોમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે.
  • સુરત (Surat )શહેરની 52 સ્વનિર્ભર શાળાઓ (Private schools) પર બીયુ સર્ટિફિકેટ તેમજ રમતગમતના મેદાન મુદ્દે લટકતી તલવાર જોવા મળી રહી છે.
  • જેના શિક્ષણજગતમાં ભારે ઊહાપોહ સાથે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે .
  •  સુરત (Surat) જિલ્લા શિક્ષણાધિકારી (District Education Officer) કચેરીએ શાળાઓને(School) ફટકારેલી નોટિસને (notice) પગલે શાળા (School) સંચાલકોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે .
  • દરમિયાન એક આરટીઆઇમાં 75 શાળાના(School) ઉલ્લેખ સામે 52 શાળાઓને (School) એકસાથે નોટિસ)(notice) ફટકારતા માહોલ ગરમાયો છે.

Issuing Notice to School –શાળાઓને(School) નોટિસ ફટકારવાના પ્રકરણમાં શાળા સંચાલકોને

  • surat સુરતની શાળાઓને(School) ફટકારાયેલી નોટિસ મુદ્દે શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળે રાજ્યસ્તરે રજૂઆત કરી હૈયાવરાળ ઠાલવી છે.
  • સુરત (surat) શહેરની 52 સ્વનિર્ભર શાળાઓને નોટિસ(notice) ફટકારવાના પ્રકરણમાં શાળા(School) સંચાલકોના જણાવ્યા મુજબ , 2020 ના વર્ષમાં શાળાઓમાં મેદાનની સુવિધા , બીયુ સર્ટિફિકેટ સહિતની બાબતોને કેન્દ્રમાં રાખીને આરટીઆઇ કરાઇ હતી.
  • તે યાદીમાં સુરતની (surat) 75 શાળાઓના નામની યાદી, ફોટા સહિતની વિગતો સામેલ હતી.
  • જેમાં પ્રથમ તબક્કામાં એકલદોકલ શાળાઓને(School) નોટિસ ફટકારવાની સાથે જ તેની મંજૂરી રદ કરવા માટે તજવીજ હાથ ધરાઇ હતી.
  • આ પ્રયોગ સફળ રહેતા એકસાથે 52 શાળાઓને (School) નોટિસ ફટકારાઇ છે. જેને લઇને ઊહાપોહ શરૂ થયો છે.
  • આ સિવાય અગાઉ 13 શાળાના (School) સંચાલકોને રૂબરૂ બોલાવાયા હતા.
  • તે પૈકી પણ માત્ર 7 શાળા (School) સામે જ પગલાં લેવાતા દાળમાં કઇક કાળું હોવાની ચર્ચા ચાલી હતી.
  • જ્યારે આ વખતે 52 શાળાને (School) નોટિસ મુદ્દે સંચાલકોમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે.

Issuing Notice to School –હકારાત્મક વલણની ખાતરી કરી રજૂઆતો કરીશું : સંચાલકો

  • 52 શાળાઓને (School) નોટિસ અને રાજ્યસ્તરે રજૂઆત મુદ્દે રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘ – ગુજરાતના પ્રમુખ જગદીશ ચાવડાએ જણાવ્યુ હતું કે , શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાઓને અપાયેલી નોટિસ મુદ્દે રાજ્યસ્તરે રજૂઆત કરી છે. તેનો હકારાત્મક પ્રતિસાદ મળશે એવી ખાતરી છે.
  • જ્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ – સુરતના પ્રમુખ આનંદ ઝીંઝાળાએ જણાવ્યું હતું કે , 52 શાળા (School)બંધ થશે તો હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર મુકાવાની સાથે અનેક કર્મચારી, શિક્ષકોની રોજગારી છીનવાશે. આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી અમે રજૂઆતો કરતા રહીશું.

તમે પણ આ વાંચી શકો છો –

DEO office issued notice of BU permission to 52 schools: સુરતની 52 શાળાઓને બીયુ પરમિશન મામલે નોટિસ

તમે પણ આ વાંચી શકો છો –

Farmers harassed by power cuts : ખેડૂતોએ નિયમિત વીજળીની માંગ સાથે આવેદન આપ્યું

SHARE

Related stories

Latest stories