संबंधित खबरें
New Suzuki Access 125: વેલેન્ટાઇન ડે પર સુરત ખાતે નવી સુઝુકી એક્સેસ ૧૨૫ની ૧૨૫ ગ્રાહકોને એક સાથે આપી ડિલિવરી-India News Gujarat
AM/NS India દ્વારા હજીરા અને આસપાસના વિસ્તારના સર્વાંગી વિકાસ અને ગ્રામ્ય સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ CSR યોજનાઓનું ઉદ્ઘાટન-India News Gujarat
SMFG:ઈન્ડિયા ક્રેડિટે એસએમઈ માટે નાણાંકીય સશક્તિકરણને દર્શાવતી નવી બ્રાન્ડ ફિલ્મ રજૂ કરી-India News Gujarat
"Central Budget 'Self Reliant India' : "કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT
Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT
Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT
ગુજરાતમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો, લોકોમાં ડરનો માહોલ
ગુજરાતમાં કોરોનાને કારણે સ્થિતિ રોજ વણસી રહી છે. કોરોનાના રોજ નવાં આંકડાઓમાં ઉત્તરો-ઉત્તર વધારો થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાના કેસોમાં અધધ વધારો થઈ રહ્યો છે. ઉપરાંત સ્ટેડિયમમાં મેચ જોવા પ્રેક્ષકોની જામેલી ભીડ બાદ કોરોના વકર્યો છે. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદ અને સુરતમાં કોરોનાએ માઝા મૂકી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 161 દિવસ એટલે કે 6 મહિના બાદ ગુજરાતમાં 1276 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.અગાઉ 8 ઓક્ટોબરે 1278 કેસ નોઁધાયા હતા.જ્યારે 899 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં 1 મળી કુલ 3 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,433 થયો છે. આ સાથે જ રાજ્યનો રિક્વરી રેટ 96.42 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 26 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 5 હજારને પાર કરી ગયો છે અને હાલ 5584 એક્ટિવ કેસ છે. રાજ્યમાં 25 જાન્યુઆરી બાદ સતત બીજીવાર 3 મોત નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨ લોકોના મૃત્યુ થયાં હતા, જ્યારે સુરતમાં ૧ એમ ૩ વ્યક્તિના કોરોનાને કારણે મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મરણાંક અમદાવાદમાં ૨,૩૨૮ જ્યારે સુરતમાં ૯૮૧ છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી ૨૬૬, અમદાવાદમાંથી ૨૫૫, વડોદરામાંથી ૧૨૧, રાજકોટમાંથી ૭૭ એમ રાજ્યભરમાંથી ૮૯૯ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધી ૨,૭૨,૩૩૧ દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર ૯૬.૪૨% છે. બુધવારે વધુ ૫૮,૩૩૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેની સાથે જ કુલ ટેસ્ટનો આંક ૧.૨૪ કરોડ છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.