HomeGujaratNew Member In BJP : શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીના...

New Member In BJP : શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા – India News Gujarat

Date:

New Member In BJP : નર્મદા જિલ્લાના પુર્વ ઘારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે પ્રદેશ કાર્યાલય. શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિદેશના નેતાઓએ આપણા દેશની સંસ્કૃતિ અને સંસ્કાર સાથે ભારતનો વિકાસ થતો જોઇ આપણા દેશ પર વિશ્વાસ વધ્યો છે. નહેરુજીએ દેશના લોકોને ઓછી અક્કલ વાળા કહીને અપમાનીત કર્યા હતા તેમને ગઇકાલે સંસદમાં મોદી સાહેબે જડબાતોડ જવાબ આપ્યો છે. – શ્રી સી.આર.પાટીલ

New Member In BJP : મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે વિકાસની ગતીએ

ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ દેશના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની વિકાસ અને રાષ્ટ્રવાદની રાજકીય નીતી અને મજબૂત સંગઠન શક્તિથી પાર્ટીને મજબૂત કરનાર એવા પેજ સમિતિના પ્રણેતા શ્રી સી.આર.પાટીલજી તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે વિકાસની ગતીએ આગળ વઘી રહ્યું છે ત્યારે અન્ય રાજકીય પાર્ટીના કાર્યકરો અને સમાજીક આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે નર્મદા જિલ્લાના પુર્વ ઘારાસભ્ય શ્રી હર્ષદભાઇ વસાવા અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીના હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

New Member In BJP : શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશની તસ્વીર બદલાઇ

 આ પ્રસંગે શ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય શ્રી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર વિશ્વાસ રાખી મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ જોડાયા છે તે બદલ અભિનંદન. કોંગ્રેસના સાશનમાં દેશની સ્થિતિ કેવી હતી તે સૌ જાણે છે  અને આજે શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશની તસ્વીર બદલાઇ છે આપણા દેશની સંસ્કૃતિ અને સંસ્કાર સાથે ભારતનો વિકાસ થતો  જોઇ વિદેશના નેતાઓનો ભારત દેશ પર વિશ્વાસ વઘ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશનો યુવાન નિરાશ ન થાય તે દિશામાં કાર્ય કર્યુ છે, મહિલાઓ માટે લોકસભા અને વિઘાનસભામાં 33 ટકા અનામત  આપાવ્યું છે. મહિલાઓ આર્થિક રીતે મજબૂત થાય તે દિશામાં કામ કરવામાં આવ્યું. દેશનો ખેડૂત લાચાર ન રહે તે માટે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખાતામાં સિઘા રૂપિયા જમા કરવામાં આવે છે. મોદી સાહેબે દેશના ખેડૂતોની આવક વઘે તે માટે સંકલ્પ કર્યો છે તે દિશામાં પગલા પણ લેવામાં આવી રહ્યા છે. 

જનતાને આપ્યા તે તમામ વચનો પુર્ણ કર્યા

     શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, આદરણીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના દરેક વ્યકિત પાસે પોતાનું પાકુ ઘર હોય તે દિશામાં કામ કરી રહ્યા છે. 1980 માં ભાજપની સ્થાપના પછી પક્ષે જેટલા પણ વચનો જનતાને આપ્યા તે તમામ વચનો પુર્ણ કર્યા છે જેમાં કલમ 370, રામ મંદિરનું નિર્માણ, ત્રીપલ તલાક સહિતના વચનો પુર્ણ કર્યા છે. રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમયે સમગ્ર દેશ રામ મય બન્યો પણ કેટલાય લોકો રામ મંદિર ગયા નહી, તેઓ માને છે કે રામ ભગવાન જેવું કોઇ અસ્તિત્વ છે જ નહી તે કઇ રીતે દર્શન કરવા જઇ શકે. રામ મંદિરનો વિરોધ કરનારને જનતા જવાબ આપશે. નહેરુજીએ દેશના લોકોને ઓછી અક્કલ વાળા કહીને અપમાનીત કર્યા હતા તેમને ગઇકાલે સંસદમાં મોદી સાહેબે જડબાતોડ જવાબ આપ્યો છે. આવો સૌ સાથે મળી ગુજરાત અને દેશના વિકાસમાં સાથે જોડાઇએ. સૌ સાથે મળી આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ગુજરાતની દરેક બેઠક પાંચ લાખથી વધુ મતોની લીડથી જીતાડી ભેટ આપીએ.  

   
New Member In BJP : શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલ સહિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

 આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, શ્રી પપ્પુભાઇ પાઠક, શ્રી હિમાંશુભાઇ પટેલ, શ્રી જયરાજસિંહ પરમાર,  નર્મદા જિલ્લાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ પટેલ,  પાટણ જિલ્લાના પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, શ્રી શબ્દશરણ તડવી,શ્રી શંકરભાઇ વસાવા, શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલ સહિત પ્રદેશના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

તમે આ પણ વાચી શકો છો :

Modi on Nehru: નેહરુ અને ઈન્દિરા પર નિશાન સાધ્યું

તમે આ પણ વાચી શકો છો :

ED Raid: અરવિંદ કેજરીવાલના નજીકના સંબંધીઓ પર દરોડા

SHARE

Related stories

Latest stories