HomeGujaratLok Sabha Election 2024: કોંગ્રેસના મેનિફેસ્ટો વિવાદ પર મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને...

Lok Sabha Election 2024: કોંગ્રેસના મેનિફેસ્ટો વિવાદ પર મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને લખ્યો પત્ર, જાણો શું કહ્યું

Date:

કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાર્ટીના ચીફ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખીને કહ્યું છે કે, ‘તમારા સલાહકારો તમને એવી વસ્તુઓ વિશે ખોટી માહિતી આપી રહ્યા છે જે અમારા મેનિફેસ્ટોમાં નથી લખવામાં આવ્યા’. આ પત્ર પીએમ મોદીના નિવેદન બાદ લખવામાં આવ્યો છે જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ તમારા કમાયેલા પૈસા લેવા માંગે છે.

ખડગેનો પત્ર
પત્ર લખતી વખતે તેમણે કહ્યું કે ચૂંટણીના પ્રથમ તબક્કામાં અમારી પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ અમે તમારી પાર્ટી પાસેથી આવી જ અપેક્ષા રાખી હતી. તેમણે પત્રમાં કહ્યું છે કે કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે સાંપ્રદાયિક વિભાજન કરી શકે છે. આવી વાતો કરીને પીએમ પદની ગરિમાને કલંકિત કરવામાં આવી રહી છે. ચૂંટણી પૂરી થયા પછી લોકોને યાદ હશે કે કેવી રીતે દેશના પીએમ જીતવા માટે અપશબ્દોનો ઉપયોગ કરતા હતા.

ભારતના ચૂંટણી પંચની કાર્યવાહી
આ પત્રમાં ખડગેએ પીએમ મોદીને યોગ્ય શબ્દો પસંદ કરવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે કોંગ્રેસે મહેનતથી કમાયેલા પૈસા છીનવીને “જેના ઘણા બાળકો છે” તેમને ફરીથી વહેંચવાનું વચન આપ્યું હતું. જે બાદ આજે ભારતના ચૂંટણી પંચે પીએમ મોદી દ્વારા આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપોની નોંધ લીધી છે. પેનલે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને બાંસવાડામાં પીએમ મોદીની ટિપ્પણી સામેની ફરિયાદો પર સોમવાર સુધીમાં જવાબ આપવા કહ્યું છે.

SHARE

Related stories

Latest stories