કોરોના મહામારીના હિસાબે બોર્ડની પરીક્ષામાં બેઠેલા રાજ્યના 10.83 લાખ વિદ્યાર્થીઓનું પ્રથમવાર ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી અમદાવાદમાંથી 1 લાખ જેટલા જ્યારે કે બીજા નંબરે સુરતમાંથી 79 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. 9 જૂન સવારથી બોર્ડની વેબસાઇટ gseb.org પર ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સ્કૂલોમાં પરિણામ વિતરણ માટેની તારીખ આવનારા સમયમાં બોર્ડ જાહેર કરશે. એટલે અત્યારે વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઇન જ પોતાની પરિણામ જોઇ શકશે. 2019માં ધો.10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતું. કોરોના મહામારીના હિસાબે બોર્ડની પરીક્ષામાં બેઠેલા રાજ્યના 10.83 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કોરોના વચ્ચે ધોરણ-10નું 60.64 ટકા પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. 2019માં ધો.10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતુ, તે સંદર્ભે ગત વર્ષ કરતા લગભગ 5 ટકા ઓછું પરિણામ જાહેર કરાયું છે. સૌથી વધુ સુરત જિલ્લાનું 94.66 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ 47.47 ટકા છે. સૌથી ઓછું દાહોદના રૂવાબારી કેન્દ્રનું 14.9 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના સપરેડા કેન્દ્રનું 94.78 ટકા આવ્યું છે. ચાલું વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાનો સમાવેશ થાય છે, જ્યારે 174 શાળાનું પરિણામ 0 ટકા આવ્યું છે.
ધોરણ -10નું 60.64% રિઝલ્ટ જાહેર,10.83 લાખ વિદ્યાર્થીઓ આપી હતી પરિક્ષા
- Advertisement -
Related stories
Election 24
Scrapping of The Article 370, Jammu and Kashmir’s Special Status, Valid: Supreme Court: અનુચ્છેદ 370ની નાબૂદી માન્ય, જમ્મુ-કાશ્મીર માટે હવે કોઈ વિશેષ દરજ્જો નહીં:...
SC Validates Abrogation of Article 370 of J&K, Undergone...
Business
“PM Swanidhi Yojana”/પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો/INDIA NEWS GUJARAT
નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં શહેરના ઉધના ખાતે પીએમ સ્વનિધિ...
Business
Developed Bharat Sankalp Yatra Surat/યાત્રાના રથનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કર્યું ભવ્ય સ્વાગત/INDIA NEWS GUJARAT
મોટા વરાછા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ: યાત્રાના...
Latest stories