HomeGujaratGST Rates:GSTના દરમાં થઇ શકે છે ફેરફાર-India News Gujarat

GST Rates:GSTના દરમાં થઇ શકે છે ફેરફાર-India News Gujarat

Date:

GST Rates :  વધી શકે છે મોંઘવારી, GSTના દરમાં થઇ શકે છે ફેરફાર

  • GST Rates : GST ના 5 ટકા સ્લેબને સરકાર રદ કરવાનું વિચારી રહી છે. અમુક વધારે વપરાશના ઉત્પાદનોને ત્રણ ટકાના સ્લેબમાં રાખવામાં આવે તેવી શક્યતા છે.
  • બાકીના ઉત્પાદનોને 8 ટકાના સ્લેબમાં મૂકી શકાય છે. હાલમાં GSTમાં 5, 12, 18 અને 28 ટકાના ચાર ટેક્સ સ્લેબ ઉપલબ્ધ છે.
  •  (GST) કાઉન્સિલની આગામી મહિને મળનારી બેઠકમાં પાંચ ટકાના ટેક્સ સ્લેબને નાબૂદ કરવાના પ્રસ્તાવ પર વિચારણા થઈ શકે છે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે પાંચ ટકાનો સ્લેબ જો નિકળી જશે તો વપરાશના ઉત્પાદનોને 3 ટકાના સ્લેબમાં અને બાકીનાને 8 ટકાના સ્લેબમાં મૂકવામાં આવશે તેવી ચર્ચા છે. એટલે કે જે પ્રોડક્ટ્સ 8 ટકાના સ્લેબ (GST tax slab) માં જશે, તે તમારા માટે મોંઘા થઈ જશે.
  • મોટા ભાગના રાજ્યો આવક વધારવા માટે આ પગલા લેવામાં છે જેથી તેમને રાજસ્વ માટે કેન્દ્ર પર નિર્ભર ન રહેવું પડે.
  • હાલમાં GSTમાં 5, 12, 18 અને 28 ટકાના ચાર ટેક્સ સ્લેબ છે.
  • આ ઉપરાંત સોના અને સોનાના ઘરેણા પર ત્રણ ટકા ટેક્સ લાગે છે. આ ઉપરાંત, કેટલીક અનબ્રાન્ડેડ અને અનપેક્ડ પ્રોડક્ટ્સ છે જે GST લાગતું નથી.
  • સૂત્રોએ જણાવ્યું કે આવક વધારવા માટે કાઉન્સિલ કેટલીક બિન-ખાદ્ય ચીજોને ત્રણ ટકાના સ્લેબમાં લાવીને મુક્તિ આપવામાં આવે અને કેટલીક વસ્તુઓની યાદીમાં કાપ મૂકવાનો નિર્ણય લઈ શકે છે.

GST Rates:5 ટકાના સ્લેબમાં ફેરફાર થશે

  • સૂત્રોએ જણાવ્યું હતું કે પાંચ ટકાનો સ્લેબ વધારીને 7 કે 8 કે 9 ટકા કરવા અંગે ચર્ચા ચાલી રહી છે.
  • આ અંગે અંતિમ નિર્ણય GST કાઉન્સિલ લેશે. કેન્દ્રીય નાણાપ્રધાનની આગેવાની હેઠળની GST કાઉન્સિલમાં તમામ રાજ્યોના નાણાં પ્રધાનોનો સમાવેશ થાય છે.
  • ગણતરી મુજબ, પાંચ ટકાના સ્લેબમાં (જેમાં મુખ્યત્વે પેકેજ્ડ ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે)માં દર એક ટકાના વધારાને પરિણામે વાર્ષિક આશરે રૂ. 50,000 કરોડની વધારાની આવક થશે.

GST Rates: લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર સૌથી વધુ ટેક્સ

  • જ્યારે વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે કાઉન્સિલ મોટાભાગની વસ્તુઓ માટે આઠ ટકા જીએસટી (GST) પર સામીલ થવાની અપેક્ષા છે. હાલમાં આ ઉત્પાદનો પર GSTનો દર પાંચ ટકા છે.
  • GST હેઠળ, આવશ્યક ચીજવસ્તુઓ પર ઓછામાં ઓછો ટેક્સ લાગે છે અથવા ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે. જ્યારે લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર સૌથી વધુ ટેક્સ લાગે છે. આના પર 28 ટકા ટેક્સ લાગે છે.
  • આ સેસ કલેક્શનનો ઉપયોગ GSTના અમલીકરણને કારણે રાજ્યોને થતી આવકની ખોટની ભરપાઈ કરવા માટે થાય છે.
  • GST વળતર સિસ્ટમ જૂનમાં સમાપ્ત થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, રાજ્યો આત્મનિર્ભર બને અને GST કલેક્શનમાં રેવન્યુ ગેપને પહોંચી વળવા માટે કેન્દ્ર પર નિર્ભર ન રહે તે અનિવાર્ય બની જાય છે.
  • કાઉન્સિલે ગયા વર્ષે કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈની અધ્યક્ષતામાં રાજ્ય પ્રધાનોની એક સમિતિની રચના કરી હતી, જે કરના દરોને તર્કસંગત બનાવીને અને કર માળખામાં વિસંગતતાઓને દૂર કરીને આવક વધારવાના માર્ગો સૂચવવા માટે સૂચન કરે છે.
  • પ્રધાનોનું જૂથ આવતા મહિનાની શરૂઆતમાં તેની ભલામણો આપે તેવી શક્યતા છે.
  • GST કાઉન્સિલની આગામી બેઠક મેના મધ્યમાં યોજાય તેવી શક્યતા છે, જેમાં મંત્રીઓના જૂથની ભલામણો મૂકવામાં આવી શકે છે.

તમે પણ આ વાંચી શકો છો –

DA Hike :સરકારી કર્મચારીઓ માટે ખુશખબર!

તમે પણ આ વાંચી શકો છો –

Fuel Price:સૌથી મોંઘો LPG ભારતમાં, Petrol વિશ્વમાં ત્રીજા અને Diesel આઠમાં ક્રમે મોંઘા

SHARE

Related stories

Latest stories