HomeGujaratખેડૂતોને રવી પાકના યોગ્ય ભાવ ન મળતા શાકભાજી વાવેતર તરફ વળ્યા

ખેડૂતોને રવી પાકના યોગ્ય ભાવ ન મળતા શાકભાજી વાવેતર તરફ વળ્યા

Date:

રાજ્યમાં કોરોના કહેરને લઈને લોકડાઉન લાદવામાં આવ્યું છે ત્યારે લોકડાઉન, કોરોના, માવઠા જેવી કુદરતી મુશ્કેલી સાથે જગતનો તાત માનવસર્જિત મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યો છે. ખેડૂતોને રવી પાકના યોગ્ય ભાવ ન મળતા કેટલાક ખેડૂતો શાકભાજી વાવેતર તરફ વળ્યા છે છતાં શાકભાજીમાં પણ યોગ્ય ભાવ મળતા નથી.

 

 

હળવદ તાલુકામા ખેડૂતોને રવી પાકના વાવેતરમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો શાકભાજીના વાવેતર તરફ વળ્યા છે. તાલુકાના બુટવડા ગામના ખેડુતોએ કાળીમજુરી કરી ગુવાર તૈયાર કર્યો છતા માર્કેટમા યોગ્ય ભાવ ન મળતા ખેડુતો અર્થીક સંકળામણમાં સપડાયા છે ઉલ્લેખનીય છે કે ખેડૂતો કુદરતી અને માનવ સર્જીત આફતોનો સામનો કરી ખેડૂતો પોતાના ખેતરમાં પાક તૈયાર કરાતા કરતા હોય છે પરંતુ બજારમા પોતાના પાકનો ભાવ ન મળતા ખેડુતો આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ છે. ખેડૂતોએ ગુવારનું વાવેતર કરી બીયારણ, દવા,ખાતર,વિજબીલ સહિનો ખર્ચ કરી તૈયાર કરેલ ગુવાર ને માર્કેટિંગમા વેચાવ જતા એક કિલોના માત્ર 15 રૂપીયા મળતા ખર્ચ પણ નીકળે નહી તેવી પરીસ્થિતિ સર્જાઇ છે. ખેડુત પાસેથી 15 રૂપિયાના ભાવે લિધેલો ગુવાર વેપારીઓ બજારમાં 40 રૂપિયાના ભાવે લોકોને વેચતા હોય છે. આમ ખેડૂતો રાત દિવસ કાળી મજૂરી કરી ગુવારનો પાક તૈયાર કરે છે છતાં તેમને યોગ્ય ભાવ મળતા નથી.

SHARE
- Advertisement -

Related stories

Inauguration Of Railway Overbridge/કીમ રેલવે ઓવરબ્રિજના બીજા ફેઝનું લોકાર્પણ કરાયું/INDAI NEWS GUJARAT

કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કીમ રેલવે ઓવરબ્રિજના...

Distribution Of Benefits Of Welfare Schemes/રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું/INDIA NEWS GUJARAT

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં માંડવી તાલુકાના રેગામા...

Interview With Swamiji Of Swaminarayan Institute/BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી સ્વામીજી સાથે મુલાકાત/INDIA NEWS GUJARAT

દુબઇમાં SGCCIના હોદ્દેદારોએ BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી...

Latest stories