HomeGujaratCardless Cash Withdrawal-રિઝર્વ બેન્કે કરી આ મોટી જાહેરાત-India News Gujarat

Cardless Cash Withdrawal-રિઝર્વ બેન્કે કરી આ મોટી જાહેરાત-India News Gujarat

Date:

Cardless Cash Withdrawal: હવે રૂપિયા ઉપાડવા ATMની જરૂર નથી, રિઝર્વ બેન્કે કરી આ મોટી જાહેરાત-India News Gujarat

Cardless cash withdrawal: ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે UPIની મદદથી કાર્ડલેસ કેશ ઉપાડવાની સુવિધા હવે તમામ બેન્કના ATM પર ઉપલબ્ધ થશે.

આની મદદથી ટ્રાન્ઝેક્શન દરમિયાન કોઈપણ પ્રકારની છેતરપિંડી અટકાવી શકાય છે.

ડિજિટલ ફ્રોડ (Digital Fraud)ના વધી રહેલા મામલા વચ્ચે રિઝર્વ બેન્કે તેને રોકવા માટે મોટો નિર્ણય લીધો છે.

ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે UPIની મદદથી કાર્ડલેસ કેશ ઉપાડવા (Cardless cash withdrawal)ની સુવિધા હવે તમામ બેન્કના ATM પર ઉપલબ્ધ થશે.

આની મદદથી ટ્રાન્ઝેક્શન દરમિયાન કોઈપણ પ્રકારની છેતરપિંડી અટકાવી શકાય છે.

હાલમાં એટીએમમાંથી(ATM)  કાર્ડલેસ રોકડ ઉપાડવાની સુવિધા માત્ર કેટલીક બેન્કના એટીએમમાં ​​જ ઉપલબ્ધ છે.

હવે આ સુવિધાનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેન્કે કહ્યું કે હવે કાર્ડ વગર UPIની મદદથી કોઈપણ બેન્કના ATMમાંથી રોકડ ઉપાડી શકાશે.

જો રોકડ ઉપાડ માટે કાર્ડની જરૂર ન હોય તો આ કાર્ડ ક્લોનિંગ, કાર્ડ સ્કિમિંગનું જોખમ ઘટાડી શકે છે.

રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો તમામ બેન્કના ATMમાં કાર્ડલેસ ઉપાડની સુવિધા ઉપલબ્ધ હોય તો કાર્ડ ક્લોનિંગ, સ્કિમિંગ, ડિવાઈસ ટેમ્પરિંગ જેવી ઘટનાઓ પર અંકુશ લાવી શકાય છે.

ATM ફ્રોડને રોકવા માટે કાર્ડલેસ ઉપાડની સુવિધા શરૂ કરવી પડશે.

તેથી જ હવે બેન્કના એટીએમ(ATM) માં ​​પણ કાર્ડલેસ કેશ ઉપાડવાની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.

કાર્ડલેસ ઉપાડની સુવિધા કસ્ટમર ઓથરાઈઝેશનની મદદથી કરવામાં આવશે.

UPIની મદદથી ગ્રાહક અધિકૃતતા સક્ષમ કરવામાં આવશે. 

Cardless Cash Withdrawal: એક મહિનામાં 25 હજાર સુધી કાર્ડલેસ ઉપાડ

કાર્ડલેસ(cardless)  ઉપાડની સુવિધા હેઠળ વ્યક્તિ ડેબિટ કાર્ડ (Debit Card) ની મદદ વિના એટીએમમાં(ATM) થી રોકડ ઉપાડી શકે છે.

કાર્ડલેસ (cardless) ઉપાડ એક દિવસમાં 100 રૂપિયા, વધુમાં વધુ 10,000 રૂપિયા અથવા મહિનામાં 25,000 રૂપિયા સુધીની રોકડ ઉપાડી શકાય છે.

મર્યાદા અંગેનો કોઈપણ નિર્ણય નિયમનકારી ધોરણે લેવામાં આવશે.

ગવર્નર દાસે કહ્યું કે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં ભારત બિલ પેમેન્ટ માટે નેટવર્થ 100 કરોડથી ઘટાડીને 25 કરોડ કરવામાં આવી છે.

Cardless Cash Withdrawal: OTPની મદદથી ટ્રાન્ઝેક્શન પૂર્ણ થાય છે

વાસ્તવમાં, કાર્ડ વગર એટીએમમાંથી (ATM) રોકડ ઉપાડ મોબાઈલ એપ દ્વારા કરવામાં આવે છે.

આ સમગ્ર સિસ્ટમ OTP દ્વારા કામ કરે છે અને OTPના આધારે તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોકડ ઉપાડી શકો છો.

રોકડ ઉપાડ પહેલા, ગ્રાહકના રજિસ્ટર્ડ મોબાઈલ પર OTP મોકલવામાં આવે છે અને ત્યારબાદ ઉપાડની પ્રક્રિયા આગળ વધે છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્કના ATM પર કેશલેસ ઉપાડની સુવિધા ઉપલબ્ધ છે.

તમે પણ આ વાંચી શકો છો –

GST Department: GST ભરવાના અખાડા કરતા ડેવલપર્સ પાસેથી 6 કરોડની વસુલાત

તમે પણ આ વાંચી શકો છો –

EPF Account-બેકાર પડ્યા છે 3930.85 કરોડ રૂપિયા

SHARE

Related stories

Latest stories