HomeEntertainmentYoga Camp/વાવ ખાતે યોગશિબિર યોજાશે/India News Gujarat

Yoga Camp/વાવ ખાતે યોગશિબિર યોજાશે/India News Gujarat

Date:

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા.૧૬ અને ૧૭મીએ કામરેજના વાવ ખાતે યોગશિબિર યોજાશે

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૩માં જન્મ દિવસ નિમિત્તે તા. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સમગ્ર ગુજરાતના ૭૩ સ્થળો પર, ૭૩૦૦૦ યોગ સાધકો સાથે ૭.૩૦ લાખ સુર્ય નમસ્કાર કરશે. જે અંતર્ગત સુરત જિલ્લામાં તા.૧૬ અને તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ સવારે ૬.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન SRPF પરેડ ગ્રાઉન્ડ, ગ્રુપ ૧૧,વાવ ખાતે” બે દિવસીય યોગ શિબિર ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌ યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો, તમામ સસ્થાઓને પરિવાર સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં જોડાવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ શિબિરમાં પધારનાર સૌને રજીસ્ટ્રેશન માટેની લીંકઃ https://forms.gle/4epEMAB6Jd8knwdn9 રજીસ્ટ્રેશન ફોર્મ ભરી પોતાનું રજીસ્ટ્રેશન કરવા વિંનતી. રજીસ્ટ્રેશન ફોર્મ અંગ્રેજી કેપિટલમાં ભરવા વિંનતી. જેથી સૌ કોઈને કામરેજના વાવ ખાતે યોગના કાર્યક્રમમાં જોડાવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

SHARE

Related stories

Latest stories