HomeEntertainmentBollywood:અર્જુન કપૂર થયો ટ્રોલ- ઈન્ડસ્ટ્રીઝના લોકોએ એકસાથે આવીને ખુલીને વાત કરવાની જરૂર-India...

Bollywood:અર્જુન કપૂર થયો ટ્રોલ- ઈન્ડસ્ટ્રીઝના લોકોએ એકસાથે આવીને ખુલીને વાત કરવાની જરૂર-India News Gujarat

Date:

Bollywood:અર્જુન કપૂર થયો ટ્રોલ- ઈન્ડસ્ટ્રીઝના લોકોએ એકસાથે આવીને ખુલીને વાત કરવાની જરૂર-India News Gujarat

Bollywood: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે હાલમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન બોલિવૂડ ફિલ્મોનો બોયકોટ કરનારા ટ્રોલર્સ વિશે ખુલીને વાત કરી છે. અર્જુને ટ્રોલ્સને ધમકી આપતાં તેમણે કહ્યું કે, લોકોએ અમારા મૌનનો ઘણો ફાયદો ઉઠાવ્યો છે. બોયકોટ કરનાર લોકોને જવાબ આપવા માટે ઈન્ડસ્ટ્રીઝના લોકોએ એક સાથે રહેવાની જરૂર છે.

  • અર્જુને આ પ્રકારનું નિવેદન આપ્યા બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. લોકોએ કહ્યું હતું કે, અર્જુન કપૂર પોતાની સાથે વાત કરે છે કારણ કે તેની ફિલ્મો કોઈ જોતું નથી.

અર્જુન કપૂરને ટ્રોલ કરવા પાછળ શું છે કારણ?
ફિલ્મ ‘ લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘રક્ષાબંધન’ને ટ્રોલ અને બોયકોટ કર્યા બાદ અર્જુને રિએક્શન આપ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં અર્જુને કહ્યું હતું કે, ‘જ્યારે લોકો ફિલ્મને ટ્રોલ અને બોયકોટ ચૂપ રહીને આપણે બધાએ ભૂલ કરી છે. જ્યારે બધા આના પર મૌન રાખીને પોતપોતાની ગરિમા બનાવી રહ્યા હતા, ત્યારે લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો.’ ઈન્ડસ્ટ્રીના લોકો એવું વિચારી રહ્યા છે કે તેમનું કામ બોલશે.

  • અર્જુને વધુમાં કહ્યું હતું કે, ‘હવે ઇન્ડસ્ટ્રીના લોકોએ એકસાથે આવીને તેના વિશે ખુલીને વાત કરવાની જરૂર છે. લોકો તેમના વિશે જે લખે છે તે સત્યથી ખુબ જ દૂર છે. જ્યારે આપણે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી ફિલ્મો કરીએ છીએ ત્યારે લોકો તેનેનામના કારણે નહીં પરંતુ ફિલ્મના કારણે પસંદ કરે છે.
  • જો કે, હવે તે ખૂબ થઈ રહ્યું છે અને તે ખોટું છે.’

એક વિલન રિટર્ન્સથી 40 કરોડની કમાણી
અર્જુનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, હાલમાં જ અર્જુને મોહિત સુરીની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ દિશા પટની અને તારા સુતરીયા પણ હતા. આ ફિલ્મ 2014માં આવેલી ફિલ્મ ‘એક વિલન’ નો બીજો પાર્ટ છે. તો નવાઈની વાત એ છે કે, આ ફિલ્મ બોક્સઓફિસ પર 40 કરોડની જ કમાણી કરી છે.

SHARE

Related stories

Latest stories