HomeCorona Updateગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 376 કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 376 કેસ નોંધાયા

Date:

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 376 કેસ નોંધાયા હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 15 હજારને પાર ગયો છે. આ ઉપરાંત વધારે 23 લોકોના મોત થતા કોરોના મહામારીમાં મૃત્યુઆંક વધીને 938 પર પહોંચ્યો છે. 24 કલાકમાં 410 લોકો સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપીને સાત હજારથી વધારે લોકો સાજા થયાં છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે અમદાવાદમાં 256 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આવી જ રીતે સુરતમાં 34, વડોદરામાં 29, મહીસાગરમાં 14, વલસાડમાં 10, સુરેન્દ્રનગરમાં 6, ગાંધીનગરમાં 5, નવસારીમાં 4, રાજકોટમાં 3, આણંદ, પાટણ, કચ્છમાં બે-બે, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલી ખાતે એક-એક કેસ નોંધાયો હતા.

SHARE

Related stories

Tree Ganesha : દસ દિવસ લાંબુ પર્યાવરણ જાગૃતિ અભિયાન : INDIA NEWS GUJARAT

ટ્રી ગણેશા : ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ચલાવવામાં આવતું દસ...

International Luxury Brand Styliston : ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો : INDIA NEWS GUJARAT

ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો વેસુ...

Latest stories