HomeCorona Updateગુજરાતમાં ફરી કોરોનાનો આતંક, ઓનલાઈન શિક્ષણ કરાયું બંધ

ગુજરાતમાં ફરી કોરોનાનો આતંક, ઓનલાઈન શિક્ષણ કરાયું બંધ

Date:

રાજ્યમાં કોરોનાને કારણે ફરી એકવાર પરિસ્થિતિ બગડી રહી છે. ત્યારે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં 8 મહાનગરોમાં સ્કૂલ-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. અને 10 એપ્રિલ સુધી આ આદેશનું પાલન કરવામાં આવશે.

પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષણકાર્ય બંધ રહેશે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો. ઉપરાંત 19મી માર્ચ-2021થી શરૂ થનારી કોલેજોની પરીક્ષા મોકૂફ રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી

મુખ્યમંત્રી રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણને કારણે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં શિક્ષણ જગત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયો અંગે વધુ માહિતી આપતા કહ્યું કે, 8 મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં તા.19મી માર્ચ-2021થી 10 એપ્રિલ સુધી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવામાં આવશે. આ આઠ મહાનગરપાલિકા વિસ્તારની સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ-હોમલર્નિંગ અપાશે તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઇન લેવામાં અવાશે

SHARE
- Advertisement -

Related stories

Inauguration Of Railway Overbridge/કીમ રેલવે ઓવરબ્રિજના બીજા ફેઝનું લોકાર્પણ કરાયું/INDAI NEWS GUJARAT

કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કીમ રેલવે ઓવરબ્રિજના...

Distribution Of Benefits Of Welfare Schemes/રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું/INDIA NEWS GUJARAT

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં માંડવી તાલુકાના રેગામા...

Interview With Swamiji Of Swaminarayan Institute/BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી સ્વામીજી સાથે મુલાકાત/INDIA NEWS GUJARAT

દુબઇમાં SGCCIના હોદ્દેદારોએ BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી...

Latest stories