HomeBusinessMoU With Knowledge Chamber Of Commerce And Industry/નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ...

MoU With Knowledge Chamber Of Commerce And Industry/નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે એમઓયુ કર્યા/INDIA NEWS GUJARAT

Date:

ચેમ્બર ઓફ કોમર્સે મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે એમઓયુ કર્યા

દક્ષિણ ગુજરાતની ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને વધુ ડેવલપ કરવા બંને ચેમ્બર ઓફ કોમર્સ સંયુકતપણે કાર્યક્રમો કરશે અને એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ યુનિટો ઉભા કરવા પ્રયાસ કરશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાના નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે શનિવાર, તા. રપ નવેમ્બર, ર૦ર૩ના રોજ સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે સમજૂતિ કરાર કર્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા અને નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન ધવલ રાવલે આ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે મિશન ૮૪ના સીઇઓ પરેશ ભટ્ટ, સુમુલના મેનેજિંગ ડિરેકટર અરૂણ પુરોહિત અને નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડાયરેકટર ડો. અમિત જોશી હાજર રહયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે થયેલા સમજૂતિ કરાર મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારો અને નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા દેશભરના ઉદ્યોગકારોને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવશે અને તેઓ એકબીજાને પ્રોકડટની લે – વેચ કરી શકે તે માટે તેઓની વચ્ચે પરસ્પર ઔદ્યોગિક અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં આવશે. બંને ચેમ્બર ઓફ કોમર્સ ભવિષ્યમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે સંયુકતપણે કાર્યક્રમો કરશે, જેમાં ઉદ્યોગકારોને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે સરકારની વિવિધ યોજનાઓ અને સબસિડી તથા વૈશ્વિક સ્તરે રહેલી એક્ષ્પોર્ટની તકો વિશે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ફૂડ પ્રોસેસિંગ યુનિટોને એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.

ચેમ્બર પ્રમુખે નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન – ડાયરેકટર તથા અન્ય પ્રતિનિધિઓને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી અને ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રોજેકટની જરૂરિયાત અને તેના મહત્વ વિષે સમજણ આપી હતી. આ પ્રોજેકટ અંતર્ગત એક્ષ્પોર્ટને વધારવા માટે ચેમ્બર ઓફ કોમર્સે મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત બનાવેલા ઓનલાઇન ઈન્ટરનેશનલ પોર્ટલ અંગે પણ વિસ્તૃત જાણકારી આપી હતી.

આ પોર્ટલ પર ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવાની બાબત પણ સમજાવી હતી. એવી રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પોર્ટલ પર લાવવા વિશે જાણકારી આપી હતી. મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરી ઉદ્યોગકારોને વ્યાપાર માટે જે તે દેશોમાં રહેલી તકો તથા ત્યાંના કાયદા અને નિયમો વિશે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. જે અંતર્ગત ભારતમાં કાર્યરત જુદા–જુદા દેશોના કોન્સુલ જનરલો સાથે થઇ રહેલી મિટીંગોથી પણ ચેમ્બર પ્રમુખે નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન સહિતના પ્રતિનિધીઓને વાકેફ કર્યા હતા.

નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચેરમેન ધવલ રાવલે ચેમ્બર પ્રમુખને જણાવ્યું હતું કે, તેમની સાથે જોડાયેલા દેશભરના સભ્યોને મિશન ૮૪ પ્રોજેકટની સાથે જોડીશું અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને તેનો મહત્તમ લાભ મળે તે માટે પ્રયાસ કરીશું.

SHARE

Related stories

Latest stories