HomeBusinessMade Education A Business : સરકારી શાળામાં શિક્ષણના ધાંધીયા પ્રવાસી, શિક્ષકોને છૂટા...

Made Education A Business : સરકારી શાળામાં શિક્ષણના ધાંધીયા પ્રવાસી, શિક્ષકોને છૂટા કરી દેવાતા વિદ્યાર્થીને હાલાકી – India News Gujarat

Date:

Made Education A Business : અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીના અભિયાસ બગડ્યો. વાલીઓએ શિક્ષકોની ઘટ દૂર કરવા માંગણી કરી.

પૈસા ઉઘરાવીને પ્રવાસી શિક્ષકોને પગાર આપીશું

તાપીના વ્યારા ખાતે આવેલ સરકારી તાલુકા શાળામાં છેલ્લા કેટલાક દિવસથી શાળાનાં ચાલુ અભ્યાસ દરમ્યાન. ઈંગ્લીશ મીડિયમનાં પ્રવાસી શિક્ષકને છુટા કરી દેવાતાં બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું. તો બીજી તરફ બાળકોના વાલીઓએ માંગ કરી કે આમે પૈસા ઉઘરાવીને પ્રવાસી શિક્ષકોને પગાર આપીશું. પણ અમારા બાળકોનું ભવિષ્ય નાં બગાડો.

બાળકો છેલ્લા એક અઠવાડિયાથી અભ્યાસથી વંચિત

એક તરફ સરકાર શિક્ષણનું સ્તર સુધરે તે માટે સતત પ્રયત્ન કરતી હોય છે. ત્યારે બીજી બાજુ વ્યારાની સરકારી તાલુકા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણાવતા. શાળાનાં શિક્ષકોને શાળામાંથી છુટા કરી દેવાતાં બાળકોનો અભ્યાસક્રમ અટવાઇ જવા પામ્યો છે. શાળા માંથી ચાલુ અભ્યાસ ક્રમે છુટા કરાયેલ શિક્ષકો પ્રવાસી શિક્ષક હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા છુટા કરી દેવામાં આવ્યા છે. ત્યારે જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં અભ્યાસ કરવાની અન્ય કોઈ વ્યવસ્થા કર્યા વગર શિક્ષકો રવાના કરી દેવાતા. બાળકો છેલ્લા એક અઠવાડિયાથી વર્ગ ખંડમાં અભ્યાસથી વંચિત બેસી રહેવા મઝબુર બન્યાં છે. આ સમગ્ર બાબતને શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ આચાર્ય અને મુખ્ય શિક્ષક જોડે મુલાકાત કરી. આ બાબતે ચર્ચા કરી પરંતુ આચાર્ય અને શાળાનાં શિક્ષકે. ઉપરી શિક્ષણ વિભાગના પોતે ચીઠ્ઠીનાં ચાકર હોવાનુ જણાવી વાલીઓને સંતોષકારક જવાબ આપ્યો ના હતો.

Made Education A Business : આવનાર મહિનાઓમાં બાળકોની પરીક્ષા

છેલ્લા એક અઠવાડિયાથી શાળામાં શિક્ષકની ગેરહાજરીનાં કારણે અભ્યાસથી વંચિત રહેલ. બાળકોને વાલીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યુ હતું. અમારા બાળકોના ભવિષ્યની ચિતા થઈ રહી છે. શાળામાં આચાર્ય કોઈ યોગ્ય જવાબ નથી ત્યારે શાળામાંથી છુટા કરાયેલ પ્રવાસી શિક્ષકોને કેટલાક સમયથી પગાર પણનાં મળ્યો હતો. તો પણ પ્રવાસી શિક્ષકો શાળામાં આવીને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી. નિસ્વાર્થ ભાવે કેટલાક સમયથી બાળકોને અભ્યાસ કરાવતાં હતા. પરંતુ પ્રવાસી શિક્ષકો શાળામાંથી છુટા કરી દેવાતા હવે બાળકો અભ્યાસથી વંચિત થઈ રહ્યાં છે. અને આવનાર મહિનાઓમાં બાળકોની પરીક્ષા પણ આવી રહી છે. ત્યારે બાળકોના ભવુષ્યનું શું તે ચિંતા અમે વાલીઓએ સતાવી રાહી છે.

તમે આ પણ વાચી શકો છો :

Jharkhand Update: ગમે ત્યારે થઈ શકે છે ‘ખેલા’

તમે આ પણ વાચી શકો છો :

Nitish NDA: 2024માં ફરીથી ગઠબંધન કેમ કર્યું?

SHARE

Related stories

Latest stories