HomeAutomobilesCyclothon 2024/સાયક્લોથોન 2024: ભારતના ઉજ્જવળ અને દીર્ઘકાલીન ભવિષ્યની દિશા નવો વિશ્વ વિક્રમ...

Cyclothon 2024/સાયક્લોથોન 2024: ભારતના ઉજ્જવળ અને દીર્ઘકાલીન ભવિષ્યની દિશા નવો વિશ્વ વિક્રમ સ્થાપશે/INDIA NEWS GUJARAT

Date:

“શીશ સાયક્લોથોન 2024”: ભારતના ઉજ્જવળ અને દીર્ઘકાલીન ભવિષ્યની દિશા નવો વિશ્વ વિક્રમ સ્થાપશે

આ ઈવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને અનુકૂળ અને સ્વસ્થ ભારતનું નિર્માણ, કમજોર સમુદાય માટે સમાવેશને પ્રોત્સાહન આપવા, ડ્રગ્સથી દૂર રહેવા અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં ભારતનું નામ નોંધાવવાનો છે

પર્યાવરણની સુરક્ષા સાથે સસ્ટનેબેલ વિકાસ, બહેતર સ્વાસ્થ્ય અને સામુદાયિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ શીશ ગ્રુપ દ્વારા “શીશ સાયક્લોથોન 2024” ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ એક અનોખી ઘટના છે જેમાં સાયકલના પૈંડા માત્ર સ્પર્ધા માટે જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ માટે પણ ફરશે, જે સ્વચ્છ અને હકારાત્મક પર્યાવરણીય અને સામાજિક પરિવર્તન પ્રત્યે શીશ ગ્રુપના સમર્પણની ભાવનાને ખરેખર પ્રતિબિંબિત કરે છે.


શીશ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સાયક્લોથોન ઈવેન્ટ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નદ્રષ્ટા શબ્દોથી પ્રેરિત છે, જેઓ પર્યાવરણને અનુકૂળ વ્યવહાર, તંદુરસ્તી અને તંદુરસ્ત જીવનશૈલીના મહત્વ પર ભાર મૂકે છે. હરિયાળી અને સ્વસ્થ આવતીકાલ માટે મોદીના વિઝનને અનુરૂપ, “શીશ સાયક્લોથોન 2024” ઇવેન્ટ સ્વાસ્થ્ય, ટકાઉપણું અને સમુદાય ભાવનાની વાર્ષિક ઉજવણી સાથે સુસંગત છે.


આ પ્રકારની પ્રથમ અને અનોખી સાયક્લોથોન તરીકે અમારું મિશન ભારત માટે એક નવો વિશ્વ વિક્રમ સ્થાપવાનું છે, જ્યાં 333 સાઇકલિસ્ટ સુરતથી સારંગપુર સુધી 3 દિવસમાં 333 કિલોમીટરની સાઇકલ ચલાવશે.. “શીશ સાયક્લોથોન 2024” તમામ અવરોધોને ટાળવા અને સાયકલિંગ ઈવેન્ટ્સ માટે એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે, જે ટકાઉ, લાંબા ગાળાના અને પ્રભાવશાળી રમતગમતના પ્રયાસોનું આયોજન અને તેમાં ભાગ લેવા માટે ભારતની પ્રાવીણ્ય અને કૌશલ્યનું પ્રદર્શન કરે છે.


“યુ પેડલ, વી ડોનેટ” થીમ સાથે સાયક્લોથોન 2024 નો હેતુ સંવેદનશીલતા અને કમજોર સમુદાયની સાથે જ સમાવેશને પ્રોત્સાહન આપવાનો તેમજ ના નશાકારક દવાના દુરુપયોગ સામે સકારાત્મક સંદેશ રજૂ કરવાનો છે. 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2024 સુધી, સાઇકલ સવારો સુરતથી સારંગપુર સુધીની 333 કિલોમીટરની ત્રણ દિવસની સફર શરૂ કરશે, જે લાંબા ગાળાના, ટકાઉ અને સમાવિષ્ટ ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ અનોખા સાયક્લોથોન થકી સમુદાયને સાથે રાખીને દરેક કિલોમીટરે સેવાઓનું આદાન પ્રદાન કરવાનો સામાજિક સંદેશો આપવાનો છે.


શીશ ગ્રુપે વધુ સારા ભવિષ્ય માટે આ પહેલ શરૂ કરી છે, જે તંદુરસ્ત જીવનશૈલી તેમજ ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સાયકલ સવારો 31 જાન્યુઆરી, 2024ના રોજ એસએમસી પાર્ટી પ્લોટ, ઉમરા, સુરતથી તેમની યાત્રા શરૂ કરશે અને 2 ફેબ્રુઆરી, 2024 ના રોજ સારંગપુર પહોંચશે. વધુમાં, વડોદરાના સાયકલ સવારો પણ આ અભિયાનમાં જોડાશે.

SHARE

Related stories

Latest stories