11 Crore Worth ‘Mukut’ : સુરતમાં બનેલો મુગટ શ્રીરામ મંદિરને અર્પણ, 11 કરોડનો મુગટ શ્રીરામના મસ્તક પર શોભાયમાન
11 Crore Worth ‘Mukut’ : 6 કિલો વજન ધરાવતો મુગટ હીરા રત્નોથી સુશોભિત. 4.5 કિલો સોનું સહિત બહુમૂલ્યવાન રત્નો જડાયા. હીરા, માણેક, મોતી, પર્લ, નિલમ જડવામાં આવ્યા.
સુરતના એક બિઝનેસમેને 11 કરોડની કિંમતનો શિરમુગટ રામ મંદિરને ભેટમાં આપ્યો છે. આ મુગટ 6 કિલો જેટલું વજન ધરાવે છે. સોનાથી મઢેલા મુગટને રામલલ્લાના મસ્તક પર શોભાયમાન થયો છે.
સમગ્ર વિશ્વભરમાં હલચલ જગાડનાર અયોધ્યા રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા. સમારોહની પૂર્વ સંધ્યાએ સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે અયોધ્યા સ્થિત મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં. શ્રી રામજન્મભૂમિ તિર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભગવાન શ્રી રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલો. સોના અને આભુષણોથી મઢેલો મુગટ અર્પણ કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડીયાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના. મુકેશભાઇ પટેલને અયોધ્યાના વિશ્વપ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનારા. ભગવાન શ્રી રામ માટે આભુષણ અર્પણ કરવાની વિચારણા કરવા માટે કહ્યું હતું. જેને પગલે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાના પરિવારજનો. અને કંપનીમાં પરામર્શ કરીને નક્કી કર્યું કે ભગવાન શ્રી રામ માટે સોનાનો આભુષણોથી જડેલો મુગટ અર્પણ કરવામાં આવે.
વિહીપના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડીયાએ કહ્યું કે. તા.5મી જાન્યુઆરીએ અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામની. કઇ મૂર્તિ બિરાજમાન કરવી તે બાબત નક્કી થઇ. અને એ જ દિવસે સુરતમાં તેની ખબર આપવામાં આવી. સુરતથી ગ્રીમ લેબ કંપનીના બે કર્મચારીઓને ભગવાન શ્રી રામની મૂર્તિના મસ્તકનું માપ લેવા માટે. ખાસ વિમાન મારફતે અયોધ્યા મોકલવામાં આવ્યા હતા. ગ્રીન લેબ કંપનીના સ્ટાફે મૂર્તિનું માપ લઇને સીધા સુરત આવ્યા. અને એ પછી ભગવાન શ્રી રામલલ્લા માટે મુગુટ બનાવવાનું કામ શરૂ કરાયું હતું.
6 કિલો વજન ધરાવતા મુગટમાં સાડા ચાર કિલોગ્રામ સોનુ વપરાયું છે. તદુપરાંત નાના મોટી સાઇઝના હીરા, માણેક, મોતી, પર્લ, નિલમ વગેરે રત્નો જડવામાં આવ્યા છે. તમામ સામગ્રીના ઉપયોગ બાદ મુગટનું જે સ્વરૂપ સર્જાયું. એ અયોધ્યાના વિશ્વપ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન. રાજા રામચંદ્રના મસ્તક પર અત્યંત શોભાસ્પદ બન્યું છે. અયોધ્યા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાયો. તેની પૂર્વ સંધ્યાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા રામજન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ. જેમાં મંત્રી ચંપતરાયજી, વિહીપના કાર્યકારી અધ્યક્ષ આલોકજી, મહામંત્રી મિલનજી, દિનેશ નાવડીયા વગેરેની હાજરીમાં અંદાજે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો છે.
તમે આ પણ વાચી શકો છો :
Opposition Collapsed: અયોધ્યામાં રામભક્તો ભેગા થયા પણ વિપક્ષ વેરવિખેર
તમે આ પણ વાચી શકો છો :
Elon Musk Support India: UN સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ ન આપવું એ હાસ્યાસ્પદ
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.