HomeGujaratKulvriksh : શું તમે તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા શોધી રહ્યા...

Kulvriksh : શું તમે તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા શોધી રહ્યા છો? : INDIA NEWS GUJARAT

Date:

શું તમે તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા શોધી રહ્યા છો? તો તમારી સર્ચનું સમાધાન “કુલવૃક્ષ” પાસે છે

કુલવૃક્ષ વંશાવળીનું ગ્લોબલ પ્લેટફોર્મ છે, જેના ડિજિટલ એકાઉન્ટ થકી તમારા પરિવાર, પૂર્વજો, ગોત્ર, કુલ સહિતનો ડેટા એક જ ક્લિક પર ઉપલબ્ધ છે

Kulvriksh વેબસાઈટ અને એપ પર તમે ફેમિલી ટ્રી બનાવીને બાયોગ્રાફી, ફોટા અને ઇવેન્ટ્સ લખીને અપડેટ કરી શકશો, જે આજીવન ચાલશે અને આવનારા એડવાન્સ યુગમાં તમારી ભવિષ્યની પેઢીઓને આગળ જોડતી રહેશે

હાલ ગુજરાતમાંથી 56 હજારથી વધારે પરિવારોની વંશાવળી આ એપ પર રજીસ્ટર થઈ ચૂકી છે, તેના પ્રીમિયમ ફીચર્સનો ઉપયોગ કરીને ફોટોગ્રાફ્સ, વિડિયો અને વોઈસ રેકોર્ડિંગ એમાં સંગ્રહ કરી શકાશે તેમજ નવી માહિતી પણ અપડેટ કરી શકાશે

ભારતીય સમાજમાં આપણા મૂળ અને વારસો જાણવાનું મહત્વ વધારે છે. આ માત્ર પરંપરા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. તમારા પૈકી ઘણા લોકો તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી અને કુલદેવતા શોધવાનો પ્રયાસ કરી રહ્યા હશે.

વંશાવળી, જેને કુલવૃક્ષ અથવા ફેમિલી ટ્રી પણ કહેવામાં આવે છે, આપણા પૂર્વજોની માહિતીનો વિસ્તૃત રેકોર્ડ છે. તેના મારફતે, આપણે જાણી શકીએ છીએ કે, આપણા પૂર્વજ કોણ હતા, તેઓ ક્યાંથી આવ્યા હતા અને સમાજમાં તેમનું શું યોગદાન રહ્યું હતું..? શાસ્ત્રો અનુસાર પિતૃદોષ નિવારણમાં પણ પૂર્વજોના નામ બોલવામાં આવે છે, જેથી આપણે તેમના નામ જાણવા જરૂરી છે.

ગોત્ર, આપણા પ્રાચીન પરંપરાઓનો એક ભાગ છે, જે ખાસ વંશ અથવા કુલને દર્શાવે છે. તે આપણા ડી.એન.એ. ને દર્શાવે છે. દરેક વ્યક્તિનો ગોત્ર તેમના પૂર્વજોના આધારે નિર્ધારિત થાય છે અને તે આપણી ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. દરેક પૂજા અથવા કર્મકાંડમાં ગોત્રનું ઉચ્ચારણ જરૂરી છે. ગોત્ર બોલ્યા વગર, આ કાર્ય પૂર્ણ થતું નથી અને આખું ફળ મળતું નથી, શાસ્ત્રોમાં પણ તેની ઘણી માન્યતા દર્શાવવામાં આવી છે.

કુલદેવી અને કુલદેવતા, આપણા પરિવારના દેવતાઓની સૂચિમાં આવે છે. આ તે દેવતાઓ છે, જેમની પૂજા આપણા પૂર્વજો કરતા હતા અને જેમની પૂજા આજે પણ આપણા પરિવારમાં થાય છે. તે આપણા લગ્ન, વંશ વૃદ્ધિ અને સમૃદ્ધિમાં યોગદાન આપે છે અને દરેક મુશ્કેલીથી આપણું રક્ષણ કરે છે. તેથી, આપણે સાચી કુલદેવી, કુલદેવતા વિશે જાણવું મહત્વપૂર્ણ છે. તેમની ઉપાસનાથી અપણને માનસિક શાંતિ અને આધ્યાત્મિક બળ મળે છે.

જો તમે તમારી વંશાવળી, ગોત્ર, કુલદેવી અને કુલદેવતા વિશે સાચી માહિતી મેળવવા માંગતા હો, તો તમે કુલવૃક્ષ રિસર્ચ GENEALOGIST સાથે જોડાઈ શકો છો. કુલવૃક્ષ હિન્દુ વંશાવળીનો ગ્લોબલ મંચ છે. કુલવૃક્ષ GENEALOGIST પહેલાં તમને જે જાણ છે તે વંશાવળી અને પરિવારની માહિતી લખે છે, પછી જે માહિતી સાચી નથી તે રિસર્ચ કરીને તમને જણાવી અને સમજાવી આપે છે, જ્યારે તમારી રિસર્ચ પૂરી થાય છે, તે કુલવૃક્ષના ડિજિટલ એકાઉન્ટમાં અપડેટ કરવામાં આવે છે, જ્યાં પહેલાથી જ તમારી વર્તમાન વંશાવળી લખવામાં આવી છે.

તમારા પૂર્વજોની વંશાવળી માટે, તમારા દ્વારા આપેલા નામ, મૂળગામ, જાતિ વર્ણના આધારે વંશાવળી શોધવામાં આવે છે અને સાચી વંશાવળી મળી જાય છે. ફરી, શોધી આવેલી વંશાવળીને કુલવૃક્ષના ડિજિટલ એકાઉન્ટમાં વર્તમાન વંશાવળી સાથે જોડવામાં આવે છે. હવે, તમારી વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા, નૈવેદ્ય અને મૂળ સ્થાન વગેરેની માહિતી હંમેશા માટે તમારી કુલવૃક્ષ ડિજિટલ એકાઉન્ટમાં સાચવી શકાય છે, જે તમારી ભવિષ્યની પેઢીને સરળતાથી મળી શકશે. સમય સમયે તમે તેમાં નવી માહિતી પણ અપડેટ કરી શકો છો. આ રીતે, તમારા વંશની ક્યારેય ન પૂર્ણ થતી યાત્રા હંમેશા માટે અમર બની જશે.

કુલવૃક્ષ સાથે જોડાવા માટે તમે કુલવૃક્ષ વેબસાઇટ www.kulvriksh.org પર જઈ શકો છો. આ ઉપરાંત પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી કુલવૃક્ષની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમારું રજિસ્ટ્રેશન કરી તમારા પરિવારની ફેમિલી ટ્રી બનાવીને તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા શોધવાની યાત્રા શરૂ કરી શકો છો..

આપણા મૂળને જાણવું માત્ર અમને આપણા ઇતિહાસ સાથે જોડી રાખતું નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને પણ પુનર્જીવિત કરે છે. ચાલો, મળીને આ અમૂલ્ય ધરોહરને જાળવીએ અને આપણા પૂર્વજોને માન અપાવીએ. આ સાથે જ, તમારી ભવિષ્યની પેઢીઓને આ અનોખી ભેટ આપો.

SHARE

Related stories

Tree Ganesha : દસ દિવસ લાંબુ પર્યાવરણ જાગૃતિ અભિયાન : INDIA NEWS GUJARAT

ટ્રી ગણેશા : ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ચલાવવામાં આવતું દસ...

International Luxury Brand Styliston : ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો : INDIA NEWS GUJARAT

ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો વેસુ...

Latest stories