HomeBusinessDistribution Of Benefits Of The Schemes/કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા હસ્તે સરકારની...

Distribution Of Benefits Of The Schemes/કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું/INDIA NEWS GUJARAT

Date:

મહુવા તાલુકાના ઉમરા ગામે કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

}} દેશના તમામ લોકો સરકારની પ્રજાલક્ષી યોજનાથી વંચિત ન રહી જાય માટે સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે

}} સરકારની કલ્યાણકારી યોજનાઓ ૧૦૦ ટકા અમલી બને તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે :- કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા

કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું

કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉમરા ગામ ખાતે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામીણકક્ષા અને ટ્રાઇબલ તાલુકામાં સરકારની યોજનાના સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.


આ અવસરે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિ દિવસે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો છે. દેશના તમામ લોકો સરકારની જનકલ્યાણકારી કલ્યાણકારી યોજનાઓના લાભોથી વંચિત ન રહી જાય માટે સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. છેવાડાના ગરીબ, મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશિલ રહી છે. સરકારની યોજનાઓ આપણા માટે જ છે જેનો દરેક લોકોએ લાભ લેવો જોઇએ.


વધુમાં રૂપાલાએ કહ્યું હતું કે,આદિવાસી વિસ્તારના વિકાસ માટે સૌપ્રથમ વનબંધુ યોજના નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. ગ્રામ્ય વિસ્તારના પ્રારંભિક તબક્કામાં આદિમ જૂથના વિકાસ માટે અનેક યોજના અમલી બનાવી છે. વડાપ્રધાનએ ઝીરો બેલેન્સમાં જનધન યોજના થકી નાના લોકોના બેંકમાં ખાતા ખોલી આપવાનો નિર્ણય લઇ દેશભરમાં ૫૦ કરોડ લોકોના બેંકમાં ખાતા ખોલવામાં આવ્યા છે, જેના થકી બે લાખ કરોડ રૂપિયાની ડીપોઝીટ જમા થઈ. જે ભારતના વિકાસને ટેકો આપવા માટેનું મોટું યોગદાન આપી રહી છે. ભારતનું અર્થતંત્ર પાંચમાં નંબરથી ચોથા નબંર પર આવ્યું છે. સરકારની કલ્યાણકારી યોજનાઓ ૧૦૦ ટકા અમલી બને તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી છે. તમામ લોકોએ સરકારની યોજનાનો લાભ લેવાનો અનુરોધ કર્યયો હતો.


આ અવસરે ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં પ્રજાજનોને સરકારની વિવિધ યોજનાની માહિતી પુરી પાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક માધ્યમ બન્યું છે. સરકારે ગરીબ-મધ્યમવર્ગીય નાગરિકોના જનધન યોજના હેઠળ બેંક ખાતા ખોલાવી ગંગાસ્વરૂપા, કિસાન સન્માન, શિષ્યવૃત્તિ સહાય જેવી અનેક આર્થિક સહાય કોઈ પણ વચેટિયા વિના સીધા બેંક ખાતામાં જ આપવાની પારદર્શી વ્યવસ્થા કરી છે. તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ઘર આંગણે વિવિધ યોજનાઓના લાભો જરૂરિયાતમંદોને આપવામાં આવતા હોવાનું જણાવી રાજય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા કટિબધ્ધ હોવાનું કહ્યું હતું.
આ અવસરે મંત્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે હાજર સૌએ આત્મનિર્ભર ભારત અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રતિજ્ઞા લીધી હતી.


આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી. કે. વસાવા, બારડોલી નાયબ પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, જિ.સંગઠન પ્રમુખ ભરતભાઇ રાઠોડ, નગર પા.પ્રમુખ નિમેષભાઈ શાહ, અગ્રણીઓ જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, હિતેશભાઇ, મામલતદાર, સંરપંચ, નાબાર્ડના અધિકારી, વિસ્તરણ અધિકારી (ખેતી), તેમજ તાલુકા પંચાયતના કર્મચારી, આઈસીડીએસના મુખ્ય સેવિકા, આરોગ્ય વિભાગના કર્મચારી, આંગણવાડી કાર્યકર અને તેડાગર તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories