HomeBusinessRules Changing From 1st August 2023 : આજથી આ 5 ફેર ફાર...

Rules Changing From 1st August 2023 : આજથી આ 5 ફેર ફાર લાગુ પડશે જે તમને સીધી અસર કરશે-India News Gujarat

Date:

  • Rules Changing From 1st August 2023 : દર મહિનાના પહેલા દિવસે દેશમાં ઘણા ફેરફારો લાગુ કરાય છે. જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે.
  • આજથી થી ઓગસ્ટ મહિનો શરૂ થયો છે. 
  • દેશમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો (LPG Price)થી લઈને ક્રેડિટ કાર્ડ અને આવકવેરા રિટર્ન ફાઇલિંગ (ITR Filing) સુધી ઘણી વસ્તુઓ બદલાવા જઈ રહી છે.
  • દર મહિનાના પહેલા દિવસે દેશમાં ઘણા ફેરફારો લાગુ કરાય છે.
  •  જુલાઈ મહિનો પૂરો થઈ ગયો છે. આજથી થી ઓગસ્ટ મહિનો શરૂ થયો છે. 
  •  દેશમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો (LPG Price)થી લઈને ક્રેડિટ કાર્ડ અને આવકવેરા રિટર્ન ફાઇલિંગ (ITR Filing) સુધી ઘણી વસ્તુઓ બદલાવા જઈ રહી છે.
  • આ તમામની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. જેની સીધી અસર સામાન્ય માણસને થશે.

Rules Changing From 1st August 2023 :એલપીજી સિલિન્ડરની કિંમત

  • તમને ખબર જ હશે કે  દર મહિનાની 1 અને 16 તારીખે સમીક્ષા બાદ સરકારી તેલ કંપનીઓ  તેલ અને ગેસ વિતરણ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે.
  • આજે એટલે કે 1 ઓગસ્ટ2023 એ પણ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે.
  •  છેલ્લા મહિનાની વાત કરીએ તો 1 જુલાઈ 2023 ના રોજ તેમની કિંમતોમાં કોઈ ફેરફાર થયો ન હતો.

જુલાઈ મહિનામાં પહેલી નહિ પણ 4 જુલાઈએ ભાવ અપડેટ થયા હતા

  • ગયા મહિને એટલે કે 4 જુલાઈએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો હતો.
  • આ દરમિયાન કંપનીઓએ કિંમતોમાં વધારો કર્યો હતો.
  • કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો વધારો કર્યો છે.
  • જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો ઝીકવામાં આવ્યો નથી.

ઈન્સેન્ટિવ પોઈન્ટ ઓછા થશે

  • એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ કેશબેક અને ઈન્સેન્ટિવ પોઈન્ટ ઘટાડવાનો નિર્ણય લઇ રહી છે. હવે તેમાં માત્ર 1.5 ટકા કેશબેક મળશે. Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે બેંક આ ફેરફારો કરવા જઈ રહી છે.
  • આ 12 ઓગસ્ટથી લાગુ થશે.

લોકોએ દંડ ભરવો પડશે

  • ઈન્કમટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ પૂર્ણ થઇ ગઈ છે.
  • આ સમયમર્યાદા તે કરદાતાઓ માટે હતી જેમણે તેમના ખાતાઓનું ઓડિટ કરવાની જરૂર નથી.
  • આજે 1 ઓગસ્ટથી તમારે ITR સબમિટ ન કરવા બદલ દંડ ચૂકવવો પડી શકે છે.

રોકાણ કરવાની છેલ્લી તક

  • રોકાણ સંબંધિત ફેરફારો વિશે વાત કરીએ તો, SBIની અમૃત કલશ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ 2023 છે.
  • આ વિશેષ FD પર બેંક દ્વારા વાર્ષિક મહત્તમ 7.60 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે.

બેંક 14 દિવસ બંધ રહેશે

  • ઓગસ્ટ મહિનામાં ઘણી રજાઓ આવે છે.
  •  તહેવારોના કારણે રજાઓ વધુ રહેતી હોય છે આ સાથે ફેસ્ટિવલ સીઝન પણ આવી રહી છે.
  •  ઓગસ્ટમાં 14 દિવસ બેંકમાં રજા રહેશે. જોકે  રાહતના સમાચાર એ છે કે તમામ રાજ્યમાં રજાઓ એકસાથે રહેશે નહીં.

આ પણ વાંચોઃ

Dhanvantari Arogya Rath/ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા સુરત શહેર-જિલ્લામાં જૂન અને જુલાઈ મહિનામાં કન્જકટીવાઈટીસના ૬૦૧૨ દર્દીઓનું નિદાન અને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી

આ પણ વાંચોઃ

Pradhan Mantri Jan Dhan Yojana/સમાજમાં વંચિતોના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી જન ધન યોજના

SHARE

Related stories

Latest stories