HomeEntertainmentHera Pheri 3:ફિરોઝ નડિયાદવાલાએ કર્યુ કન્ફર્મ-India News Gujarat

Hera Pheri 3:ફિરોઝ નડિયાદવાલાએ કર્યુ કન્ફર્મ-India News Gujarat

Date:

Hera Pheri 3:ફિરોઝ નડિયાદવાલાએ કર્યુ કન્ફર્મ-India News Gujarat

Hera Pheri 3: અક્ષય કુમાર (Akshay Kumar), પરેશ રાવલ (Paresh Rawal) અને સુનીલ શેટ્ટી (Suniel Shetty) ફરી એકવાર સાથે જોવા મળવાના છે. ‘હેરા ફેરી’નો ત્રીજો ભાગ ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ ફ્રેન્ચાઈઝીની તમામ ફિલ્મો લોકોને ખૂબ જ પસંદ છે. ત્રણેય કલાકારોની જબરદસ્ત કોમેડી ફરી એકવાર લોકોને જોવા મળશે. આ ત્રણેય કલાકારોની કોમેડી લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને હવે ફિરોઝ નડિયાદવાલાએ આ વાતને કન્ફર્મ કરી છે અને કહ્યું છે કે તે ‘હેરા ફેરી 3’ (Hera Pheri 3) પર કામ કરી રહ્યો છે અને તેમાં આ ત્રણેય કલાકારો હશે તો ફરી એકવાર તૈયાર થઈ જાવ આ ત્રણેયની જુગલબંધી જોવા માટે.

ટૂંક સમયમાં આવી રહ્યું છે ‘હેરા ફેરી 3’

  • એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સાથેના હાલના ઈન્ટરવ્યુમાં ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું હતું કે ‘વાર્તા તેના સ્થાને છે અને ટીમ તેના માટે પોતાનું કામ કરી રહી છે.’ તેણે એ પણ ખાતરી આપી કે આ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ પણ તે જ એવી જ રીતે બનાવામાં આવશે, જેમાં કેરેક્ટરની માસૂમિયત જાળવી રાખવામાં આવશે.
  • બોલિવૂડ હંગામા સાથે વાત કરતા ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું કે તેઓ તેમની પાછલી સિદ્ધિઓને હળવાશથી લઈ શકતા નથી. તે કન્ટેન્ટ, વાર્તા, કેરેક્ટર્સ અને વર્તનની બાબતમાં વધુ સાવધાન રહેશે. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે તે બહુ જલ્દી આ અંગે ઓફિશિયલ જાહેરાત કરશે.
  • આ ફિલ્મનો પહેલો ભાગ પ્રિયદર્શને ડાયરેક્ટ કર્યો હતો, જ્યારે બીજો ભાગ નીરજ વોરાએ લખ્યો હતો અને નિર્દેશિત કર્યો હતો. દર્શકો હજી પણ આ ફિલ્મો જુએ છે અને કલાકારોના એક્ટિંગની ખૂબ જ પ્રશંસા કરે છે.

વાર્તા ડેવલોપ કરવાની પરેશ રાવલે કરી માંગ

  • ‘હેરા ફેરી 3’ વિશે બોલતા પરેશ રાવલે ETimes ને કહ્યું કે, ‘જો આપણે આટલા વર્ષો પછી હેરાફેરીની સિક્વલ લઈને આવી રહ્યા છીએ તો તે કામ કરશે નહીં.
  • તેની સ્ટોરી ડેવલોપ થવી જોઈએ. ત્યારે જ હું તેના માટે ઉત્સાહિત થઈશ. નહીં તો એ જ ચાવેલું છીણ ફરી ચાવવું પડશે, એ મને એ ઉત્સાહ નહીં આપે.

ઓલ ટાઈમ ફેવરિટ કોમેડી ફિલ્મો

  • આ ફિલ્મને લઈને મીડિયામાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે જ્યારે ફિલ્મના ત્રીજા ભાગની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ફેન્સનો ક્રેઝ આ ફિલ્મને લઈને જેવો છે. આ ફિલ્મ લોકોની ઓલ ટાઈમ ફેવરિટ કોમેડી ફિલ્મોમાંની એક છે.
  • લોકોને પહેલી ફિલ્મના ડાયલોગ્સ યાદ છે, પછી તે બાબુરાવ હોય, રાજુ હોય કે શ્યામ. આજે પણ લોકો તેની ક્લિપિંગ્સ જુએ છે.
SHARE

Related stories

Latest stories