HomeGujaratઆતંકી સંગઠનની ધમકી:nupur-sharama સમગ્ર દુનિયાની માફી માગે નહીં તો પરિણામ ભોગવે-India News...

આતંકી સંગઠનની ધમકી:nupur-sharama સમગ્ર દુનિયાની માફી માગે નહીં તો પરિણામ ભોગવે-India News Gujarat

Date:

પયગંબર મોહમ્મદ સાહેબ અંગે nupur-sharamaની  ટીપ્પણીના વિવાદમાં આતંકી સંગઠન કૂદયું 

પયગંબર મોહમ્મદ સાહેબ અંગે અપમાનજનક ટીપ્પણીના વિવાદમાં આરબ દેશો પછી હવે એક આતંકી સંગઠન પણ કૂદી પડયું છે. મુજાહિદ્દીન ગજવાતુલ હિંદ નામના આતંકી સંગઠને nupur-sharamaને ખુલ્લી ધમકી આપી છે. તેણે કહ્યું છે કે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા આખી દુનિયાની માફી માગે, નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહે. બીજીબાજુ દિલ્હી પોલીસે નુપુર શર્માની સુરક્ષા વધારી છે.-India News Gujarat

આતંકી સંગઠને સોશિયલ મીડિયા પર આપી ખુલ્લી ધમકી

આતંકી સંગઠને સોશિયલ મીડિયા પર ખુલ્લી ધમકી આપતા કહ્યું છે કે નુપુર શર્માએ પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે અને તેમણે આખી દુનિયાની માફી માગવાની જરૃર છે. દિલ્હીના ગાઝીપુરમાં આઈઈડી મળવાની જવાબદારી લેનારા કથિત આતંકી સંગઠન મુજાહિદ્દીન ગજવાતુલ હિંદે ટેલિગ્રામ પર ધમકી આપતું એક પોસ્ટર જાહેર કર્યું છે. તેમાં લખ્યું છે, નુપુર શર્માએ પહેલા પયગંબર સાહેબની શાનમાં ગુસ્તાખી કરી અને હવે માફી માગી છે, ડબલ સ્ટાન્ડર્ડ અપનાવતા ભાજપ ચાણક્યની નીતિ પર ચાલતા ચાલબાજી કરી રહ્યું છે. ભાજપના નેતા સતત મુસ્લિમ વિરોધી નિવેદનો કરતા રહે છે. આરએસએસ, રામ સેના, બજરંગ દળ, શિવ સેના સતત ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ નફરતભર્યા નિવેદનો આપતા રહે છે.-India News Gujarat

 

SHARE

Related stories

Latest stories