HomeIndiaBus accident in Jammu and Kashmir's Katra:જમ્મુ-કાશ્મીરના કટરામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી...

Bus accident in Jammu and Kashmir’s Katra:જમ્મુ-કાશ્મીરના કટરામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી આગ- INDIA NEWS GUJARAT

Date:

Bus accident in Jammu and Kashmir’s Katra:જમ્મુ-કાશ્મીરના કટરામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ, અકસ્માતમાં 4ના મોત

Bus accident જમ્મુ અને કાશ્મીરના કટરામાં શુક્રવારે સાંજે અગમ્ય કારણોસર શ્રદ્ધાળુઓ (તીર્થયાત્રીઓ) લઈ જતી બસમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને 22 લોકો દાઝી ગયા છે. જ્યારે 3ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કટરાથી જમ્મુ જઈ રહેલી લોકલ બસ નંબર JK 14-1831માં કટરાથી લગભગ 1.5 કિલોમીટર દૂર ખરમાલ પાસે આગ લાગી હતી. – INDIA NEWS GUJARAT 

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના કટરા નજીક વૈષ્ણોદેવીના યાત્રિકોને લઈ જતી બસમાં આગ લાગતા ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા અને 22 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કટરા પ્રખ્યાત વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લેતા તીર્થયાત્રીઓ માટેનો આધાર શિબિર છે. માહિતી આપતાં, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ADG) જમ્મુ ઝોન મુકેશ સિંહે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં કોઈ વિસ્ફોટકનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું નથી, ફોરેન્સિક ટીમ આગના કારણની તપાસ કરી રહી છે. – INDIA NEWS GUJARAT 

આ પણ વાંચો : Luck -Luck હોય તો આવા નહીં તો ન હોય, પાર્ટીના એકલા જ સાંસદ અને બન્યા પીએમ – India News Gujarat

આ પણ વાંચો : Depsang and Demchok ને લઈને ચીન સાથે વાતચીત ચાલુ રહેશે, ભારત વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે-India News Gujarat

SHARE

Related stories

Latest stories