HomeIndiaJAMMU KASHMIR TERRORIST ATTACK: કોકરનાગ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ, આતંકવાદીઓને ખતમ કરવા...

JAMMU KASHMIR TERRORIST ATTACK: કોકરનાગ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ, આતંકવાદીઓને ખતમ કરવા માટે મોટું ઓપરેશન શરૂ

Date:

JAMMU KASHMIR TERRORIST ATTACK: કોકરનાગ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ, આતંકવાદીઓને ખતમ કરવા માટે મોટું ઓપરેશન શરૂ

અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં એજન્સીઓને વટનાર વિસ્તારમાં એક ઠેકાણા પર કેટલાક આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. જે બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તમામ પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો સીલ કરી દેવામાં આવ્યા છે. આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં એક જવાન શહીદ થયો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે કેટલાક આતંકીઓને આ વિસ્તારમાં ઘેરી લેવામાં આવ્યા છે.

શોપિયાંમાં લશ્કરના ચાર આતંકવાદીઓનું કામ તમામ

આ પહેલા ગુરુવારે દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા ચાર સ્થાનિક આતંકવાદીઓ પાસેથી મુરાન, પુલવામાના બેંક ગાર્ડ પાસેથી લૂંટાયેલી 12 બોરની રાઈફલ સહિત હથિયારો મળી આવ્યા છે.

નાગરિકોની હેરાનગતિની અનેક ઘટનાઓ

પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ સુગનના અહેમદ થોકર અને ફારૂક અહેમદ ભટ, હેફકુરીના આકીબ અહેમદ થોકર અને વસીમ અહેમદ થોકર તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે ચારેય સુરક્ષા દળો પર હુમલા, નાગરિકોને હેરાન કરવાના અનેક બનાવોમાં સામેલ છે.

આ પણ વાંચી શકો :PM GARIB KALYAN  અન્ન યોજના વધુ છ મહિના માટે લંબાવવામાં આવી

આ પણ વાંચી શકો : JAMMU KASHMIR TERRORIST ATTACK : બારામુલ્લામાં આતંકવાદીઓ દ્વારા સરપંચની ગોળી મારી હત્યા, બે મહિનામાં ચોથી ઘટના

SHARE

Related stories

Latest stories