HomeIndiaSrinagar Encounter: CRPF જવાનો પર હુમલામાં સામેલ આતંકવાદી ઠાર – India News...

Srinagar Encounter: CRPF જવાનો પર હુમલામાં સામેલ આતંકવાદી ઠાર – India News Gujarat

Date:

Srinagar Encounter

ઈન્ડિયા ન્યૂઝ, શ્રીનગર: Srinagar Encounter: શ્રીનગરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો પર તાજેતરમાં થયેલા હુમલામાં સામેલ એક આતંકવાદી રવિવારે શહેરમાં એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પોલીસે આ માહિતી આપી છે. India News Gujarat

બિશમ્બરમાં આતંકીઓ હોવાની મળી હતી બાતમી

Srinagar Encounter: એક અધિકારીના જણાવ્યા અનુસાર, બિશમ્બર નગરમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતાં, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેના પછી આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો. અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, જેના કારણે બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ અને એક આતંકવાદી માર્યો ગયો.

ચોથી એપ્રિલે થયેલા હુમલામાં સામેલ હતો આતંકી

કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે કહ્યું કે માર્યો ગયો આતંકવાદી શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં 4 એપ્રિલે થયેલા હુમલામાં સામેલ હતો જેમાં એક CRPF જવાન શહીદ થયો હતો અને અન્ય ઘાયલ થયો હતો. India News Gujarat

IGPએ શું કહ્યું ટ્વિટર પર

Srinagar Encounter: IGPએ ટ્વિટર પર કહ્યું, “તાજેતરમાં CRPF જવાનો પર થયેલા હુમલામાં સામેલ એક આતંકવાદી શ્રીનગરમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો, જ્યારે બીજાને પકડવાના પ્રયાસો ચાલુ છે. હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.” India News Gujarat

Srinagar Encounter

આ પણ વાંચોઃ Russia Ukraine War 46th Day Update: બ્રિટિશ PM બોરિસ જ્હોન્સન ઝેલેન્સકી સાથે યુક્રેનની સડકો પર ફર્યા – India News Gujarat

આ પણ વાંચોઃ Weather Today 10th April Update: दिल्ली में गर्मी ने तोड़ा 72 साल का रिकॉर्ड, 42 डिग्री तापमान, अभी नहीं राहत के आसार

SHARE

Related stories

Latest stories